WEBVTT
00:01:03.580 --> 00:01:14.880
अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः ।
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम् ।। २।।
00:01:14.904 --> 00:01:19.000
[अनेकान्तमयी मूर्ति:] એનો અર્થ કરે છે.
00:01:19.024 --> 00:01:36.840
જેમાં અનેક અંત, એટલે (ધર્મ) છે એવુ જે જ્ઞાન
તથા વચન તે-મય મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો.
00:01:36.864 --> 00:01:53.496
આ સરસ્વતીમૂર્તિના બે અર્થ કરશે.
એક જ્ઞાન એ પણ સરસ્વતી છે અને વચન એ પણ,
શબ્દબ્રહ્મ એ પણ સરસ્વતી સ્વરૂપ છે.
00:01:53.520 --> 00:01:57.136
જ્ઞાનના બે ભેદ કરશે,
શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન.
00:01:57.160 --> 00:02:04.296
કેવી છે તે મૂર્તિ હવે?
એ બે પ્રકારની મૂર્તિ કહી,
એ કેવી મૂર્તિ છે?
00:02:04.320 --> 00:02:13.416
જે અનંત ધર્મવાળો છે અને જે પરદ્રવ્યોથી ભિન્ન
00:02:13.440 --> 00:02:27.896
ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન
તથા પરદ્રવ્યના નિમિત્તથી થતાં
પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન એકાકાર છે.
00:02:27.920 --> 00:02:38.416
આ અનંતધર્મી ભગવાનઆત્મા
પોતાના અનંતધર્મોથી એકાકાર છે
અને પરથી ભિન્ન છે.
00:02:38.440 --> 00:02:52.416
એવા આત્માના તત્ત્વને, આત્માના સ્વરૂપને
અર્થાત્ અસાધારણ, અસાધારણ-સજાતીય
00:02:52.440 --> 00:02:57.136
એટલે પોતાનો જીવ અને
બીજા અનંતા જીવો, એ સજાતીય છે
00:02:57.160 --> 00:03:09.056
વિજાતીય પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ,
એ દ્રવ્યોથી વિલક્ષણ જુદું લક્ષણ જેનું છે.
ચેતના લક્ષણ જુદું છે.
00:03:09.080 --> 00:03:18.416
પોતાની ચેતના જુદી,
બીજા જીવોની ચેતના જુદી છે કેમ કે
એમાં પ્રદેશ ભેદ છે, પદાર્થ ભેદ છે.
00:03:18.440 --> 00:03:28.696
માટે સજાતીય વિજાતીય દ્રવ્યોથી
વિલક્ષણ-નિજસ્વરૂપને,
તે મૂર્તિ અવલોકન કરે છે-દેખે છે.
00:03:28.720 --> 00:03:37.976
અવલોકન કરે છે-દેખે છે તે
કેવળજ્ઞાન ને શ્રુતજ્ઞાન બેય-એ સરસ્વતી છે.
00:03:38.000 --> 00:03:45.976
અને એને જે દેખાડે છે એ દ્રવ્યશ્રુત છે
એ પણ સ્વરૂપથી સરસ્વતી કહેવાય.
00:03:46.000 --> 00:04:02.016
એટલે ઓમાં ઇષ્ટ દેવને નમસ્કાર કર્યા હતા,
ને આમાં ગુરૂને અને વાણીને બેયને
નમસ્કાર ભેગા એક શ્ર્લોકમાં કર્યા.
00:04:02.040 --> 00:04:10.896
જે ભાવશ્રુતજ્ઞાન છે તે પણ સરસ્વતી છે,
અને વચન છે એ પણ સરસ્વતી છે.
00:04:10.920 --> 00:04:19.656
જિનવાણી પણ પૂજ્ય છે અને
આત્મજ્ઞાની ગુરૂ ભાવશ્રુતજ્ઞાની,
ઓલા પરમગુરૂ છે, એ પૂજ્ય છે.
00:04:19.680 --> 00:04:30.336
એટલે બેય, એક શ્ર્લોકની અંદર બેય લઈ લીધા.
દેવ, ગુરૂ ને શાસ્ત્ર. જિનવાણી એટલે શાસ્ત્ર.
00:04:30.360 --> 00:04:37.776
ભાવાર્થ:- અહીં સરસ્વતીની મૂર્તિને
આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે.
00:04:37.800 --> 00:04:55.256
આશીર્વાદ આપેને! એમ હું નમસ્કાર કરું છું
‘હે જિનવાણી મારા સ્વરૂપની મને પ્રાપ્તિ થાય’.
00:04:55.280 --> 00:05:02.456
એમ ગુરૂને પણ નમસ્કાર કરે.
એવી રીતે આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે.
00:05:02.480 --> 00:05:13.376
લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે
તે યથાર્થ નથી તેથી
અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે.
00:05:13.400 --> 00:05:24.416
હવે પહેલા જ્ઞાનની વાત કરે છે.
જે સમ્યગ્જ્ઞાન છે તે
સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે.
00:05:24.440 --> 00:05:30.636
હવે સમ્યગ્જ્ઞાનના બે ભેદ,
તેમાં પણ સમ્યગ્જ્ઞાનમાં પણ
00:05:30.660 --> 00:05:36.616
સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે
જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે.
00:05:36.640 --> 00:05:56.976
જુઓ! શબ્દમાં ભાવ ભરેલા હોય છે.
તેમાં પણ સંપુર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે
કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે.
00:05:57.000 --> 00:06:04.936
પદાર્થોને જાણે છે કેવળજ્ઞાન એમ ન લખતા
પદાર્થો એમાં પ્રતિભાસે છે, એમ.
00:06:04.960 --> 00:06:13.536
પછી ઉપચારથી એને જાણે છે એમ કહેવાય
પણ ખરેખર તો એનો અહિયાં પ્રતિભાસ થાય છે.
00:06:13.560 --> 00:06:26.296
તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ
દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે.
00:06:26.320 --> 00:06:30.616
મૂળ કેવળજ્ઞાનને સરસ્વતીની મૂર્તિ સ્થાપી.
00:06:30.640 --> 00:06:43.056
તદનુસાર એમ, કેવળી અનુસાર
જે શ્રુતજ્ઞાન છે તે ભાવશ્રુતજ્ઞાન છે,
સ્વસંવેદનજ્ઞાન છે, અતીન્દ્રિયજ્ઞાન છે.
00:06:43.080 --> 00:06:48.336
તે આત્મતત્ત્વને,
આત્માના સ્વરૂપને પરોક્ષ દેખે છે.
00:06:48.360 --> 00:06:56.936
ઓલું પ્રત્યક્ષ છે અને આ પરોક્ષ છે.
પ્રદેશને જાણતુ નથી માટે પરોક્ષ,
00:06:56.960 --> 00:07:02.576
સ્વસંવેદનથી પ્રત્યક્ષ
તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. તે પણ,
00:07:02.600 --> 00:07:08.816
કેવળજ્ઞાન તો સરસ્વતીની પ્રતિમા મૂર્તિ છે,
એ પણ વંદનીક છે, પૂજનીક છે
00:07:08.840 --> 00:07:16.176
અને આ ભાવશ્રુતજ્ઞાન પણ વંદનીક અને
પૂજનીક છે તે પણ સરસ્વતીની મૂર્તિ છે.
00:07:16.200 --> 00:07:28.776
વળી, હવે સમ્યગ્જ્ઞાનની વાત પૂરી કરીને,
વળી, દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે,
00:07:28.800 --> 00:07:39.456
કારણ કે વચનો દ્વારા વાણી પણ
ઉપકારભૂત થાય છે ને? કેમ કે
વાણી દ્વારા એનું વાચ્ય ખ્યાલમાં આવે છે.
00:07:39.480 --> 00:07:48.256
કારણ કે વચનો દ્વારા અનેક
ધર્મવાળા આત્માને તે બતાવે છે.
કોણ? દ્રવ્યશ્રુત જિનવાણી!
00:07:48.280 --> 00:08:00.536
આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને
જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ
અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે;
00:08:00.560 --> 00:08:12.816
તેથી સરસ્વતીનાં નામ ‘વાણી,
ભારતી, શારદા, વાગ્દેવી’ ઇત્યાદિ
ઘણાં કહેવામાં આવે છે.
00:08:12.840 --> 00:08:27.696
આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને
‘સ્યાત્’- પદથી એક ધર્મીમાં
અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે.
00:08:27.720 --> 00:08:43.856
અહીં ધર્મો લેવા છે ને? અહીં ધર્મો લેવા છે.
એકલા ગુણ નથી લેવા, પણ ધર્મો લેવા છે.
ધર્મોમાં ‘સ્યાત્’ શબ્દ જોડાય છે.
00:08:43.880 --> 00:08:56.416
ગુણોમાં ‘સ્યાત્’ શબ્દ જોડાતો નથી કેમકે
ગુણો છે એ નિરપેક્ષ છે અને ધર્મો છે એ
પરસ્પર સાપેક્ષ છે, એક-અનેક વિગેરે.
00:08:56.440 --> 00:09:05.336
એટલે, ધર્મોમાં ‘સ્યાત્’ શબ્દ આવે.
સ્યાત્ જ્ઞાન એમ ન આવે.
00:09:05.360 --> 00:09:17.656
સ્યાત્ એક એમ આવે.
સ્યાત્ નિત્ય એમ આવે પણ
સ્યાત્ શ્રદ્ધા, સુખ એમાં સ્યાત્ ન લાગે.
00:09:17.680 --> 00:09:27.936
એ તો સર્વથા, બસ. ગુણ છે તે નિરપેક્ષ છે,
ધર્મો એ સાપેક્ષ છે. સાપેક્ષમાં સ્યાત્ આવે.
00:09:27.960 --> 00:09:50.296
પાછું ‘સ્યાત્’ પદથી એક ધર્મીમાં,
એક આત્મામાં અવિરોધપણે સાધે છે,
એ ધર્મ કહેવાય.
00:09:50.320 --> 00:09:57.176
આત્મા ચેતન પણ છે અને કથંચિત્
જડ પણ છે એમ ન હોય. સમજી ગયા?
00:09:57.200 --> 00:10:07.496
સ્યાત્ શબ્દ છે એમાં અવિરોધપણું આવવું જોઈએ.
કથંચિત્ એક, કથંચિત્ અનેક,
નિત્ય-અનિત્ય એમાં એમ આવે.
00:10:07.520 --> 00:10:13.016
કથંચિત્ ચેતન અને કથંચિત્ જડ એમ ન આવે.
00:10:13.040 --> 00:10:26.536
માટે, અવિરોધપણે સાધે છે સ્યાત્પદ,
તેથી તે સત્યાર્થ છે.
અવિરોધ છે માટે તે સત્યાર્થ છે.
00:10:26.560 --> 00:10:39.760
એનો આગળ ખુલાસો આવશે,
આપણે વાત થઈ હતી.
સ્યાત્ શબ્દથી વિરોધ ટળી જાય છે.
00:10:39.860 --> 00:10:46.336
કોઈને એમ લાગે સત્ છે, સત્ હોય,
અસત્ ન હોય, એક હોય અનેક ન હોય,
એમ આવે, પ્રશ્ન થાય.
00:10:46.360 --> 00:10:49.776
સ્યાત્ શબ્દથી વિરોધ ટળી જાય છે. સ્યાત્ બસ.
00:10:49.800 --> 00:11:01.696
કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને
બીજી રીતે સ્થાપે છે પણ તે
પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.
00:11:01.720 --> 00:11:13.256
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મોવાળો
કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે?
00:11:13.280 --> 00:11:23.896
ગુણને પણ ધર્મ કહેવાય અને
અપેક્ષિત ધર્મને પણ ધર્મ કહેવાય, એમ.
00:11:23.920 --> 00:11:32.136
“ગુણાઃ સ્વભાવા ભવંતી,
સ્વભાવા ગુણા ન ભવંતી”
00:11:32.160 --> 00:11:39.936
ગુણને સ્વભાવ એટલે ધર્મ કહેવાય આત્માનો,
પણ એક-અનેક એ ધર્મ છે એને ગુણ ન કહેવાય.
00:11:39.960 --> 00:11:50.896
“ગુણાઃ સ્વભાવા: ભવંતી”
ગુણોને સ્વભાવ નામ ધર્મ કહેવાય પણ
ધર્મને ગુણ ન કહેવાય, ધર્મને ધર્મ કહેવાય.
00:11:50.920 --> 00:11:59.376
ગુણને ગુણ પણ કહેવાય ને ગુણને ધર્મ પણ કહેવાય.
અને ધર્મને ધર્મ જ કહેવાય અને
ગુણ ન કહેવાય. એમ એટલું.
00:11:59.400 --> 00:12:12.976
અનંત ધર્મો ક્યા-ક્યા છે? તેનો ઉત્તર:-
વસ્તુમાં સત્પણું-અસ્ત્તિત્વ, વસ્તુપણું,
પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, બરાબર?
00:12:13.000 --> 00:12:20.496
આ તો બધા સામાન્ય લઈ લીધા,
છએ દ્રવ્યમાં હોય.
હવે અચેતનપણું એં પાંચ દ્રવ્યમાં હોય.
00:12:20.520 --> 00:12:30.576
મૂર્તિકપણું એક દ્રવ્યમાં હોય, પુદ્દગલમાં.
અમૂર્તિકપણું પાંચમાં હોય
ઇત્યાદિ (ધર્મ) તો ગુણ છે.
00:12:30.600 --> 00:12:39.576
આ જે છ કહ્યા એને તો ગુણ કહીએ
છીએ અમે, આ બધા ગુણો છે.
00:12:39.600 --> 00:12:50.056
અચેતનના અચેતન પર્યાય છે,
મૂર્તિકના મૂર્તિક પર્યાય થાય,
અમૂર્તિક્ની અમૂર્તિક પર્યાય હોય એમ.
00:12:50.080 --> 00:12:59.136
એ બધું આવેને ઈ, એ ગુણમાં લીધું એમ.
ધર્મમાં ન લીધું પણ ગુણમાં લીધું.
ઇત્યાદિ (ધર્મ) તો ગુણ છે.
00:12:59.160 --> 00:13:04.936
હવે ગુણ સિદ્ધ શા માટે કરે છે
કે ગુણની પર્યાય હોય
માટે ગુણ કહીએ છીએ એમ.
00:13:04.960 --> 00:13:12.896
એ ન્યાય આપે છે. કોઈને એમ લાગે
કે ભાઈ આમાં ધર્મ લાગે છે? કે ના!
ગુણ છે અને ગુણની પર્યાય પણ થાય.
00:13:12.920 --> 00:13:24.856
અને તે ગુણોનું, છેને?
ત્રણે કાળે સમય-સમયવર્તી પરિણમન
થવું તે પર્યાય છે-જે અનંત છે.
00:13:24.880 --> 00:13:31.936
ગુણ કેમ કહ્યું કે એની પર્યાય થાય છે
માટે એને ગુણ કહેવાય એમ.
00:13:31.960 --> 00:14:30.716
વળી, અસ્તિત્વ છે એ સતપણું કહ્યું.
અસ્તિત્વ છેને હોવાપણું સતપણું.
00:14:30.740 --> 00:14:37.096
મુમુક્ષુ:- સામાન્ય ગુણને? સામાન્ય ગુણ?
ઉત્તર:- સામાન્ય ગુણ લીધો, બધામાં છે, એમ.
00:14:37.120 --> 00:14:43.036
મુમુક્ષુ:- અને વિશેષગુણ પણ લીધા?
ઉત્તર:- વિશેષગુણ લીધાને. ચેતનપણું લીધુંને.
અને અચેતનપણું બીજામાં લીધું એમ.
00:14:43.060 --> 00:14:57.336
ઈ લીધું, વિશેષ ગુણો. પણ બીજો વિચાર
મને આવ્યો કે અસ્તિ-નાસ્તિ, સ્વપણે છે
અને પરપણે નથી, એમ પણ આવેને?
00:14:57.360 --> 00:15:08.216
તો અસ્તિત્વ તો હોવાપણું છે અને
નાસ્તિત્વ પણ ઈ એનો જ પોતામાં
નાસ્તિત્વ-પરપણે ન હોવું.
00:15:08.240 --> 00:15:14.136
પરપણે ન હોવું એવું નાસ્તિત્વ પણ પોતામાં છે.
00:15:14.160 --> 00:15:22.696
હવે અસ્તિત્વ છે તે તો ગુણ છે
અને નાસ્તિત્વ પણ ગુણ છે.
00:15:22.720 --> 00:15:34.616
પરપણે ન હોવું એ પણ ગુણ છે એનો.
પણ એ અનુજીવી ગુણ નથી,
પ્રતિજીવી ગુણ છે.
00:15:34.640 --> 00:15:46.176
એટલે પરપણે પરિણમે જ નહીં,
પરિણમે નહીં, પરિણમવા દયે નહીં
એવો નાસ્તિત્વ નામનો એનામાં ગુણ છે.
00:15:46.200 --> 00:15:56.976
એટલે પરપણે પરિણમવા દયે જ નહીં,
પરિણમી શકે જ નહીં.
એ અસાધારણ વાત છે, સાધારણ નથી.
00:15:57.000 --> 00:16:11.016
અસ્તિપણે તો જ્ઞાન જાણવારૂપે પરિણમે
પણ પરથી નાસ્તિ છે, પરનો એમાં અભાવ છે
એટલે અન્યરૂપે ન પરિણમે.
00:16:11.040 --> 00:16:17.816
પુદ્દગલરૂપે, ધર્મ, અધર્મ, આકાશ,
કાળરૂપે પોતે પરિણમે જ નહીં.
00:16:17.840 --> 00:16:27.016
ઈ પરિણમતો નથી એનું કારણ નાસ્તિત્વ છે
અને પરિણમે છે એ અસ્તિત્વથી છે.
00:16:27.040 --> 00:16:40.176
આમાં તો બેન, ત્યાં સુધી આવી જાય
કે રાગરૂપે પરિણમે જ નહીં
કેમ કે રાગ અચેતન અને જડ છે, એમ.
00:16:40.200 --> 00:16:46.456
એટલા માટે ત્યાં હું થોભી ગયો,
વિચાર કરવા માટે, આપણે ક્યાં ઉતાવળ છે?
00:16:46.480 --> 00:17:01.016
કેમ કે નાસ્તિ છેને, એ પરના અભાવની
અપેક્ષા લીધીને-પરપણે નથી, માટે એને
પ્રતિજીવી ગુણ કહ્યોને? સમજી ગયા?
00:17:01.040 --> 00:17:18.016
હવે, ઈ ઓલા પંડિતજી (ડો. હુકમચંદ ભારીલ્લ)એ
એક બુક બહાર પાડી છે,
00:17:18.040 --> 00:17:23.016
“તીર્થંકર મહાવીર અને તેમનું સર્વોદય તીર્થ”
(ગુજરાતી બૂક પાનું ૧૪૫) એમાં આ લીધું છે વિષય.
00:17:23.040 --> 00:17:35.096
એમાં પ્રતિજીવી ગુણ,
ઈ લઈ લ્યોને બુક જોઈ લઈએ, છે એમાં.
00:17:35.120 --> 00:17:41.816
એક વાર આપણે કાઢી હતી
ફરીથી જોઈ લઈએ અત્યારે,
એમાં શાસ્ત્રનો આધાર પણ આપ્યો છે એમણે.
00:17:41.840 --> 00:17:59.416
એક વખત બહુ સારું મંથન
આનું કર્યું હતું, વાંચ્યુંને ત્યારે.
00:17:59.440 --> 00:18:07.056
શાસ્ત્રનો આધાર આપીને વાત કરે છે, એટલે.
એનો પોતાનો હોય તો આપણે માનીએ નહીં.
00:18:07.080 --> 00:18:39.696
“ઉપયોગ લક્ષણ જીવનું જ છે”
એ દૃષ્ટાંત આપ્યું છે.
00:18:39.720 --> 00:18:54.976
આ વાક્યમાં જકાર એટલે “જ” ("ही”)
હોવાથી એ સિદ્ધ થાય છે કે ઉપયોગ
લક્ષણ અન્ય કોઈનું ન હોતા જીવનું જ છે.
00:18:55.000 --> 00:19:07.576
તેથી જો એમાંથી “જ” કાઢી નાખવામાં આવે
તો ઉપયોગ અજીવનું પણ લક્ષણ હોય શકે છે.
00:19:07.600 --> 00:19:15.616
એટલે “જ” કહીને જીવનું લક્ષણ છે
અને બીજાનું નથી એ નિષેધ કરે છે.
“ही” શબ્દ “જ” એમ.
00:19:15.640 --> 00:19:23.176
હવે બીજો પારો, પ્રમાણ વાક્યમાં
માત્ર સ્યાત્ પદનો પ્રયોગ થાય છે.
00:19:23.200 --> 00:19:32.456
જયારે પ્રમાણજ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે જ
માત્ર “સ્યાત્” નો ઉપયોગ કરી શકાય છે.
00:19:32.480 --> 00:19:55.976
પરંતુ નય વાક્યમાં સ્યાત્ પદની સાથે સાથે,
પરંતુ નય વાક્યમાં સ્યાત્ પદની સાથે સાથે,
સ્યાત્ તો જોડવું...
00:19:56.000 --> 00:20:09.736
સાથે-સાથે एव “જ”નો પ્રયોગ પણ આવશ્યક છે.
“જ” સમ્યક્ એકાંતનું સૂચક છે અને
“પણ” ("भी") સમ્યક્ અનેકાંતનું (સૂચક છે).
00:20:09.760 --> 00:20:15.136
હવે નીચે બગડો છે. નયચક્ર પાનું ૧૨૯.
00:20:15.160 --> 00:20:31.936
આ એનો આધાર-કોટેશન આપ્યો છે, નયચક્રનો, કે
પ્રમાણ વાક્યમાં માત્ર સ્યાત્ પદનો પ્રયોગ
થાય છે, એટલે સ્યાત્ નો જ પ્રયોગ થાય છે.
00:20:31.960 --> 00:20:45.936
પ્રમાણમાં “જ”નો પ્રયોગ ન થાય.
“ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્તમ સત્” “જ” આત્મા છે
એમ એમાં પ્રયોગ ન થાય.
00:20:45.960 --> 00:21:00.016
નયમાં “જ”નો પ્રયોગ થાય એમ કહે છે.
પ્રમાણ વાક્યમાં માત્ર સ્યાત્
પદનો પ્રયોગ થાય છે,
00:21:00.040 --> 00:21:14.816
પરંતુ નય વાક્યમાં સ્યાત્ પદ,
સ્યાત્ તો લેવું,
સ્યાત્ અસ્તિ જ, સ્યાત્ અસ્તિ જ.
00:21:14.840 --> 00:21:23.176
મુમુક્ષુ:- એટલે આ અપેક્ષાથી આમ જ છે.
ઉત્તર:- એમ જ છે, હાં...એમ.
એમાં “જ”નો પ્રયોગ થાય સ્યાત્ની સાથે-સાથે.
00:21:23.200 --> 00:21:29.696
પણ પ્રમાણમાં “જ"નો પ્રયોગ ન થાય,
એમ કહેવા માંગે છે.
00:21:29.720 --> 00:21:38.816
નયચક્ર કાઢી લ્યોને આપણે.
આમાં ૧૨૯ પાનું છે, પૃષ્ટ ૧૨૯ ઉપર છે,
હમણાં જોઈ લઈએ.
00:21:38.840 --> 00:21:49.816
નયમાં સ્યાત્ની સાથે “જ”નો પ્રયોગ લગાડવો.
00:21:49.840 --> 00:22:02.736
પ્રમાણમાં સ્યાત્ શબ્દ આવે,
માત્ર સ્યાત્ પદનો પ્રયોગ થાય છે,
“જ”નો પ્રયોગ નહીં એનો અર્થ.
00:22:02.760 --> 00:22:09.216
સ્યાત્ તો લાગે પ્રમાણમાં.
00:22:09.240 --> 00:22:23.056
મુમુક્ષુ:- “પણ" આમાં હમણાં આવ્યુંને
તમે કહ્યું "પણ" છે તે અનેકાંતનું સૂચક છે?
ઉત્તર:- હાં... . એ આવ્યુંને
00:22:23.080 --> 00:22:30.896
“જ” સમ્યક્ એકાંતનું સૂચક છે અને
“પણ” સમ્યક્ અનેકાંત એટલે પ્રમાણ.
00:22:30.920 --> 00:22:40.616
મુમુક્ષુ:- એવું "પણ" છે, એવું "પણ" છે,
એમ હોય તો તો પ્રમાણ થઈ ગયું તે.
ઉત્તર:- હાં!
00:22:40.640 --> 00:22:47.816
મુમુક્ષુ:- આ નયચક્ર?
ઉત્તર:- નયચક્ર પૃષ્ટ ૧૨૯ એટલું લખ્યું છે.
00:22:47.840 --> 00:22:52.896
મુમુક્ષુ:- પણ નયચક્ર કયો?
ઉત્તર:- એ નથી લખ્યું આમાં. એ નથી લખ્યું આમાં
00:22:52.920 --> 00:23:02.856
આ રહ્યું છે, સ્યાત્ અસ્તિ,
સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ-નાસ્તિ એ.
00:23:02.880 --> 00:23:10.816
પ્રમાણનય અને દૂરનયના ભેદથી
યુક્ત સાત જ ભંગ હોય છે.
00:23:10.840 --> 00:23:20.096
સ્યાત્ સાપેક્ષ ભંગોને પ્રમાણ કહે છે,
સ્યાત્ સાપેક્ષ ભંગોને પ્રમાણ કહે છે.
00:23:20.120 --> 00:23:28.176
નયથી યુક્ત ભંગોને નય કહે છે
અને નિરપેક્ષ ભંગોને દૂરનય કહે છે.
00:23:28.200 --> 00:23:47.336
બહુ ઝીણા અક્ષર છે. એ તો પછી વાંચી શકાશે,
આવળું મોટું લાબું છે, બહુ મોટું પાનું ભર્યું છે,
પછી વાંચશું, હમણાં રહેવા દયો.
00:23:47.360 --> 00:24:01.376
હવે આગળ, જોકે જૈન દર્શન
અનેકાંતવાદી દર્શન કહેવામાં આવે છે,
00:24:01.400 --> 00:24:08.776
તોપણ જો એને સર્વથા અનેકાંતવાદી
માનવામાં આવે તો, સમજી ગયા?
00:24:08.800 --> 00:24:12.496
“अनेकांतोंऽप्यनेकान्त:
(અનેકાંતોપિ અનેકાંત:)” આવશેને,
00:24:12.520 --> 00:24:18.736
સર્વથા અનેકાંતવાદી માનવામાં આવે
તો એ પણ તો એકાંત થઇ જાય.
00:24:18.760 --> 00:24:36.296
સર્વથા અનેકાંતવાદી માને તો તે
પણ તો એકાંત થઇ જાય, થઈ જશે.
00:24:36.320 --> 00:24:42.336
તેથી જૈન દર્શનમાં અનેકાંતમાં પણ
અનેકાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
00:24:42.360 --> 00:24:48.296
જૈન દર્શન સર્વથા ન એકાંતવાદી છે,
ન સર્વથા અનેકાંતવાદી છે.
00:24:48.320 --> 00:24:54.216
તે કથંચિત્ એકાંતવાદી અને
કથંચિત્ અનેકાંતવાદી છે.
00:24:54.240 --> 00:24:57.976
એનું જ નામ અનેકાંતમાં અનેકાંત છે.
00:24:58.000 --> 00:25:03.416
કથંચિત્ એકાંતવાદી અને
કથંચિત્ અનેકાંતવાદી,
ઈ અનેકાંત છે, એમ.
00:25:03.440 --> 00:25:15.336
કથંચિત્ એકાંતવાદી અને કથંચિત્
અનેકાંતવાદી એનું નામ અનેકાંતમાં અનેકાંત છે.
કહ્યું પણ છે,
00:25:15.360 --> 00:25:24.656
अनेकांतोंऽप्यनेकान्त: प्रमाणनयसाधन: ।
अनेकान्त: प्रमाणात्ते तदेकांतोंऽर्पितान्नयात ।।
સ્વયંભૂસ્તોત્ર, શ્લોક 103
00:25:24.680 --> 00:25:36.656
એ સ્વયંભૂ સ્તોત્રનું છે.
પ્રમાણ અને નય જેનાં સાધન છે એવું
અનેકાંત પણ અનેકાંત સ્વરૂપ છે;
00:25:36.680 --> 00:25:47.936
કેમકે સર્વાંશગ્રાહી પ્રમાણની અપેક્ષાએ
વસ્તુ અનેકાંતસ્વરૂપ અને અંશગ્રાહી
નયની અપેક્ષાએ વસ્તુ એકાંતસ્વરૂપ સિદ્ધ છે.
00:25:47.960 --> 00:25:56.616
નયની અપેક્ષાએ એકાંત છે અને પ્રમાણની
અપેક્ષાએ અનેકાંત છે. કેમકે નય તો એક ધર્મને.
00:25:56.640 --> 00:26:06.936
મુમુક્ષુ:- ધણી માર્મિક વાત છે, ધણી સારી
વાત છે આમ સૌંદર્ય છે એમાં જૈન ધર્મનો.
ઉત્તર:- સૌંદર્ય સૌંદર્ય છે. જૈનદર્શનની ગહેરાઈ છે.
00:26:06.960 --> 00:26:10.416
મુમુક્ષુ:- સર્વથા અનેકાંતવાદી નથી.
ઉત્તર:- નથી.
00:26:10.440 --> 00:26:12.656
મુમુક્ષુ:- સર્વથા એકાંતવાદી પણ નહીં.
ઉત્તર:- નથી.
00:26:12.680 --> 00:26:18.016
મુમુક્ષુ:- સર્વથા એકાંતવાદી તો નથી
સર્વથા અનેકાંતવાદી પણ નથી.
ઉત્તર:- નથી. એ મૂળ છે એ,
00:26:18.040 --> 00:26:27.336
એ જે નયનો પ્રયોગ નથી કરતાં એ
સર્વથા અનેકાંતવાદમાં અટકી ગયા,
પ્રમાણનો પક્ષ જેને કહેવાય,
00:26:27.360 --> 00:26:33.256
પ્રમાણનો પક્ષ છે ઈ,
એ અનેકાંત પ્રમાણ નથી એનું,
પ્રમાણાભાસ છે.
00:26:33.280 --> 00:26:36.296
એમાંથી નય કાઢતાં ન આવડી,
00:26:36.320 --> 00:26:46.616
કેમકે અનેકાંતની સાધના પ્રમાણ અને
નય બેથી થાય છે એકલા પ્રમાણથી
અનેકાંતની સાધના થતી નથી, એમ કહેવા માંગે છે.
00:26:46.640 --> 00:26:55.416
“પ્રમાણનય સાધનમ્” અનેકાંત સિદ્ધ કરવા
માટે પ્રમાણ અને નય બેયની જરૂર છે.
એ સિવાય અનેકાંત સિદ્ધ નહીં થાય.
00:26:55.440 --> 00:27:01.016
મુમુક્ષુ:- એકલા અનેકાંતનું પક્ષ તો મિથ્યા છે.
ઉત્તર:- મિથ્યાત્વ છે.
00:27:01.040 --> 00:27:03.440
મુમુક્ષુ:- એ તો દ્રવ્ય-પર્યાયની એકતા થઈ એને.
ઉત્તર:- એકતા થઈ ગઈ.
00:27:03.440 --> 00:27:05.520
મુમુક્ષુ:- એને શુદ્ધનય પ્રગટ જ ન થાય.
ઉત્તર:- ન થાય.
00:27:05.520 --> 00:27:12.176
મુમુક્ષુ:- ભાઈ બહુ સારી વાત છે,
ખરેખર. બહુ સારી વાત છે.
ઉત્તર:- સારી વાત છે.
00:27:12.200 --> 00:27:18.976
આ તો મેં ખૂબ વાંચીને મંથન કર્યું, ખૂબ.
મને બહુ ગમ્યું આ. બધાયમાં લીટા કર્યા છે
એકદમ મોટા મોટા.
00:27:19.000 --> 00:27:25.656
મુમુક્ષુ:- અનેકાંતોપિ અનેકાંત:.
ઉત્તર:- અનેકાંતોપિ અનેકાંત:,
આપણે કોઈ-કોઈ વાર લઈએ છીએ.
00:27:25.680 --> 00:27:33.416
પ્રમાણ અને નય જેનાં સાધન છે એવું
અનેકાંત પણ અનેકાંત સ્વરૂપ છે;
00:27:33.440 --> 00:27:44.896
એકલા પ્રમાણથી અનેકાંત સિદ્ધ ન થાય.
અનેકાંતને સિદ્ધ કરવા માટે નય અને પ્રમાણ
બે જોઈએ કેમકે નયના સમૂહને પ્રમાણ કહેવાય.
00:27:44.920 --> 00:27:56.936
એક-એક ધર્મને જો તમે ગ્રહણ ન કરો તો
અનંત ધર્મોનું જ્ઞાન નહીં થાય, એમ.
નય એક ધર્મને ગ્રહણ કરે છે, પ્રમાણ સર્વગ્રાહી છે.
00:27:56.960 --> 00:28:01.136
એટલે પ્રમાણ અને
નય બે દ્વારા અનેકાંત સિદ્ધ થાય, એમ.
00:28:01.160 --> 00:28:07.696
પ્રમાણ અને નય જેનાં સાધન છે એવું
અનેકાંત પણ અનેકાંત સ્વરૂપ છે;
00:28:07.720 --> 00:28:18.296
કેમકે સર્વાંશગ્રાહી પ્રમાણની અપેક્ષાએ વસ્તુ
અનેકાંતસ્વરૂપ અને અંશગ્રાહી નયની
અપેક્ષાએ વસ્તુ એકાંતસ્વરૂપ સિદ્ધ છે.
00:28:18.320 --> 00:28:28.496
જૈન દર્શન અનુસાર એકાંત પણ બે પ્રકારે
હોય છે-અને અનેકાંત પણ બે પ્રકારે હોય છે-
00:28:28.520 --> 00:28:36.136
જેમકે સમ્યક્ એકાંત અને મિથ્યા એકાંત,
સમ્યક્ અનેકાંત અને મિથ્યા અનેકાંત.
00:28:36.160 --> 00:28:46.616
નિરપેક્ષ નય મિથ્યા એકાંત છે અને
સાપેક્ષ નય સમ્યક્ એકાંત છે.
સાપેક્ષનય સમ્યક્ એકાંત છે.
00:28:46.640 --> 00:28:54.216
તથા સાપેક્ષ નયોનો સમૂહ
અર્થાત્ શ્રુતપ્રમાણ સમ્યક્ અનેકાંત છે
00:28:54.240 --> 00:29:01.736
અને નિરપેક્ષ નયોનો સમૂહ અર્થાત્
પ્રમાણ, પ્રમાણાભાસ મિથ્યા અનેકાંત છે.
00:29:01.760 --> 00:29:08.896
અને નિરપેક્ષ નયોનો સમૂહ
પરસ્પર સાપેક્ષ ન લ્યે, એમ.
એક જ ધર્મને ઉપાડી લ્યે આખું.
00:29:08.920 --> 00:29:14.816
જો પરસ્પર નિરપેક્ષ નયોનો સમૂહ
અર્થાત્ પ્રમાણાભાસ મિથ્યાઅનેકાંત છે.
00:29:14.840 --> 00:29:26.256
કહ્યું પણ છે. જે વસ્તુ અનેકાંતરૂપ છે
તે જ સાપેક્ષ દૃષ્ટિએ એકાંતરૂપ પણ છે.
00:29:26.280 --> 00:29:36.936
મુમુક્ષુ:- સાપેક્ષ દૃષ્ટિથી?
ઉત્તર:- જે વસ્તુ અનેકાંતરૂપ છે તે જ
સાપેક્ષ દૃષ્ટિએ એકાંતરૂપ પણ છે.
00:29:36.960 --> 00:29:47.456
શ્રુતજ્ઞાનની અપેક્ષાએ અનેકાંતરૂપ છે
અને નયોની અપેક્ષાએ એકાંતરૂપ છે.
00:29:47.480 --> 00:29:55.176
શ્રુતજ્ઞાન પ્રમાણની અપેક્ષાએ અનેકાંત વસ્તુ છે
એને નયથી કહો તો એકાંત એક ધર્મને ગ્રહણ કરે છે.
00:29:55.200 --> 00:30:04.616
એવું પણ સ્વરૂપ છે એમ.
અપેક્ષા વિના વસ્તુનું સ્વરૂપ
જાણવામાં આવી શકતું નથી. એમ.
00:30:04.640 --> 00:30:08.856
અન્યમતિ સમ્યક્ એકાંતને બદલે
મિથ્યા એકાંતમાં ચાલ્યા ગયા.
00:30:08.880 --> 00:30:15.416
એક ધર્મને અંગીકાર કર્યો એમ,
એટલે એમાં ઘણાં ધર્મો ઉભા થઇ ગયા.
સાપેક્ષનો ખ્યાલ ન આવ્યો.
00:30:15.440 --> 00:30:25.176
સાપેક્ષ તો અનુભવીને ખ્યાલ આવે કેમકે
સાપેક્ષમાં પ્રમાણજ્ઞાન અને પ્રમાણજ્ઞાનનો
એક અંશ નય, પ્રમાણપૂર્વક નયથી પ્રયોગ કરે છે.
00:30:25.200 --> 00:30:36.776
આખું પ્રમાણનું અનંત ધર્મોંનો તો ઈ જ્ઞાતા
થઈ ગયો છે. પણ પ્રયોજન વશ એક ધર્મને મુખ્ય
કરીને એક નયથી પ્રયોગ કરે છે કે આત્મા એક છે.
00:30:36.800 --> 00:30:48.576
એક જ છે આત્મા, સમજી ગયા?
એક જ છે એ મિથ્યા એકાંત નથી
કેમકે અનેક પણ છે, એના જ્ઞાનમાં છે.
00:30:48.600 --> 00:30:51.856
મુમુક્ષુ:- જ્ઞાનમાં છે.
ઉત્તર:- હાં. અને અજ્ઞાનીના જ્ઞાનમાં
એ નથી આવતું.
00:30:51.880 --> 00:31:01.056
મુમુક્ષુ:- એ નથી આવતું.
ઉત્તર:- હાં. એક જ છે તો મિથ્યા એકાંત છે.
એક જ છે એ નિરપેક્ષ નય મિથ્યાનય
00:31:01.080 --> 00:31:13.056
અને જયારે એનું અવલંબન લેવા માટે આત્મા અનેકરૂપ
નથી અને એક જ એમ જ્ઞાની કહે ત્યારે એને
જ્ઞાનના પ્રમાણમાં અનેકાંતનું જ્ઞાન વર્તે છે.
00:31:13.080 --> 00:31:16.696
અનેક ધર્મોનું જ્ઞાન વર્તે છે.
એક પણ છે અને અનેક પણ છે.
00:31:16.720 --> 00:31:25.696
અત્યારે અનેકનું લક્ષ છોડાવી
અને એકનું લક્ષ કરાવવું છે.
એટલે જ્ઞાનીને કોઈ દોષ નથી લાગતો, એમ છે.
00:31:25.720 --> 00:31:40.616
પ્રમાણ પૂર્વક નય છે એને,
અને અજ્ઞાનીને પ્રમાણજ્ઞાન થયું નથી
એટલે નય જ્ઞાન ખોટું છે.
00:31:40.640 --> 00:31:49.216
પ્રમાણજ્ઞાન તો અનુભવકાળમાં થાય અને
પ્રમાણજ્ઞાનમાં અનંત ધર્મને જાણી લીધા.
00:31:49.240 --> 00:31:53.736
જાણી લીધા પછી સવિકલ્પદશામાં
આવે તો શિષ્યને સમજાવે, એમ.
00:31:53.760 --> 00:32:06.296
આત્મા અસ્તિરૂપ છે, આત્મા નાસ્તિરૂપ છે,
આત્મા અગુરુલઘુવાળો છે, આમ છે, તેમ છે
એ બધું કહે પણ અનંત ધર્મોને જાણે છે.
00:32:06.320 --> 00:32:15.616
જ્ઞાન આત્મામાં છે. જ્ઞાન લક્ષણ આત્માનું,
તો જ્ઞાન લક્ષણમાં દર્શન, ચરિત્ર એના
જ્ઞાનમાં છે, વર્તે છે એટલે મિથ્યા એકાંત નથી.
00:32:15.640 --> 00:32:20.736
મુમુક્ષુ:- નથી થાતું,
અનેકાંતનું જ્ઞાન સાથે વર્તે છે.
ઉત્તર:- વર્તે છે.
00:32:20.760 --> 00:32:26.096
મુમુક્ષુ:- માટે એ સમ્યક્ એકાંત છે.
ઉત્તર:- સમ્યક્ એકાંત છે.
00:32:26.120 --> 00:32:33.976
જ્ઞાન લક્ષણ કહ્યું એટલે
બીજા ગુણો નથી એમ થોડું છે? છે
00:32:34.000 --> 00:32:42.336
એમ! પણ અસાધારણ લક્ષણથી
બીજાને સમજાવે છે, એમ.
આ તો સમુદ્ર છે.
00:32:42.360 --> 00:32:58.576
અનેકાંતમાં અનેકાંતની સિદ્ધિ
કર્તા અકલંકદેવ લખે છે:-
00:32:58.600 --> 00:33:06.536
"જો અનેકાંતને અનેકાંત જ
માનવામાં આવે અને એકાંતનો સર્વથા
લોપ કરવામાં આવે,
00:33:06.560 --> 00:33:16.176
જુઓ! અનેકાંતને અનેકાંતરૂપે જ માને
અને એકાંતનો સર્વથા લોપ કરી દયે, એમ.
00:33:16.200 --> 00:33:25.496
"જો અનેકાંતને અનેકાંત જ માનવામાં આવે
અને એકાંતનો સર્વથા લોપ કરવામાં આવે તો
00:33:25.520 --> 00:33:34.896
સમ્યક્ એકાંતના અભાવમાં,
શાખાદિના અભાવમાં વૃક્ષના અભાવની જેમ,
00:33:34.920 --> 00:33:43.976
પાંદડા અને ડાળી એ નયનો વિષય છે
એને ઉડાડી દિયે તો ઝાડની સિદ્ધિ
નહીં થાય એમ. એમ કહે છે.
00:33:44.000 --> 00:33:55.056
શાખાદિના અભાવમાં વૃક્ષના અભાવની
જેમ તત્સમુદાયરૂપ અનેકાંતનો
પણ અભાવ થઈ જાય.
00:33:55.080 --> 00:33:59.296
એકાંતનો પણ જે નિષેધ કરે છે
તે અનેકાંતને પ્રાપ્ત ન કરી શકે.
00:33:59.320 --> 00:34:12.496
એટલે અનેકાંત માટે પણ તમારે એકાંતની
સિદ્ધિ કરવી પડશે, એ સમ્યક્ એકાંત છે.
આ વાત બહુ સરસ છે, સમજી ગયા?
00:34:12.520 --> 00:34:15.200
મુમુક્ષુ:- આપ કહો છો ને કે
નય પૂર્વક જ પ્રમાણ હોય.
ઉત્તર:- પ્રમાણ હોય છે, એ આ.
00:34:15.200 --> 00:34:18.720
મુમુક્ષુ:- સમ્યક્ એકાંત પૂર્વક સમ્યક્
અનેકાંત થાય છે. એ વાત છે.
ઉત્તર:- સમ્યક્ અનેકાંત થાય છે, બસ. એ વાત છે.
00:34:18.720 --> 00:34:25.256
અમારે ચંદુભાઈને આ વાંધો મોટા ચાલે છે.
તેઓ કહે છે કે પ્રમાણપૂર્વક નય થાય છે
અને હું કહું છું નયપૂર્વક પ્રમાણ થાય છે.
00:34:25.280 --> 00:34:38.056
મુમુક્ષુ:- આ તો અકલંકદેવે કીધું છે.
ઉત્તર:- અજ્ઞાનીને કાંઈ ખબર જ નથી,
પ્રમાણનો પક્ષ છે ને.
00:34:38.080 --> 00:34:46.736
એટલે નયજ્ઞાનના પક્ષમાં પણ આવતો નથી.
નયના પક્ષમાં નથી આવતો.
નયના પક્ષમાં ન આવે તો પક્ષાતિક્રાંત ન થાય.
00:34:46.760 --> 00:34:53.056
પ્રમાણના પક્ષવાળો પક્ષાતિક્રાંત ન થાય.
પણ નયના પક્ષવાળો,
શુદ્ધનયના પક્ષવાળો પક્ષાતિક્રાંત થાય.
00:34:53.080 --> 00:34:58.216
અનુભવ થાય અને અનેકાંતનું જ્ઞાન થાય,
એને જ થાય, એમ છે.
00:34:58.240 --> 00:35:14.336
એને જ વ્યવહારનું જ્ઞાન હોય
એ વ્યવહાર એને જાણેલો પ્રયોજનવાન,
આદરેલો પ્રયોજનવાન ન હોય.
00:35:14.360 --> 00:35:26.376
હવે થોડું છે વાંચી લઉં.
તેથી જો એકાંત જ સ્વીકારી લેવામાં આવે
00:35:26.400 --> 00:35:35.856
પછી અવિનાભાવી ઈતર ધર્મોનો લોપ થઈ જતાં
પ્રકૃત શેષનો પણ લોપ થઈ જવાથી
સર્વ લોપનો પ્રસંગ પ્રાપ્ત થાય".
00:35:35.880 --> 00:35:43.136
આહાહા! અકલંકદેવની વાત -
જો એકાંતનો લોપ કરશો
તો અનેકાંતનો લોપ થઈ જશે.
00:35:43.160 --> 00:35:56.656
શાખાના લોપ કરશો તો ઝાડ નહીં રહૈ.
શાખા છે, ડાળી છે, પાંદડા છે ઈ એક એક ધર્મ
એમાં છે એવા અનંતધર્મોનો સમૂહ એ ઝાડ છે. એમ!
00:35:56.680 --> 00:36:01.096
મુમુક્ષુ:- એક એકનું જ્ઞાન હોય
એને જ આખાનું જ્ઞાન હોય.
ઉત્તર:- આખાનું જ્ઞાન હોય.
00:36:01.120 --> 00:36:04.176
મુમુક્ષુ:- કેટલી સારી વાત છે.
ઉત્તર:- સારી વાત છે.
00:36:04.200 --> 00:36:15.616
સમ્યક્ એકાંત નય છે
અને સમ્યક્ અનેકાંત પ્રમાણ.
અનેકાંતવાદ સર્વ-નયાત્મક છે.
00:36:15.640 --> 00:36:26.056
અનેકાંતવાદ સર્વ-નયાત્મક છે.
જે પ્રમાણે વિખરેલાં મોતીઓને
એક દોરામાં પરોવી દેવાથી,
00:36:26.080 --> 00:36:30.536
બીજો દાખલો આપ્યો,
મોતીઓનો સુંદર હાર બની જાય છે,
00:36:30.560 --> 00:36:43.136
તે જ પ્રમાણે ભિન્ન-ભિન્ન નયોંને
સ્યાદ્વાદરૂપી સૂત્રમાં પરોવી દેવાથી
સંપુર્ણ નય શ્રુતપ્રમાણ કહેવામાં આવે છે.
00:36:43.160 --> 00:36:49.536
ત્રીજું, સ્યાદ્વાદ મંજરી,
એ સ્યાદ્વાદ મંજરીમાં છે આ. આહાહા!
00:36:49.560 --> 00:37:11.256
ખરેખર આ એ મહેનત કરે છે,
પંડિત એની લેખન શક્તિ સારી છે.
આ આમાંથી નીકળ્યું બધું.
00:37:11.280 --> 00:37:24.736
વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું,
પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું,
અમૂર્તિકપણું, ઇત્યાદિ (ધર્મ) તો ગુણ છે;
00:37:24.760 --> 00:37:32.936
અને તે ગુણોનું ત્રણે કાળે સમય-સમયવર્તી
પરિણમન થવું તે પર્યાય છે- જે અનંત છે. વળી,
હવે ધર્મની વાત કરી.
00:37:32.960 --> 00:37:37.816
વળી વસ્તુમાં એકપણું, જુઓ
અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું,
00:37:37.840 --> 00:37:45.536
ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું
આદિ અનેક ધર્મ છે, એ ગુણ નથી.
00:37:45.560 --> 00:37:53.576
હવે, એના ઉપરથી વિચાર આવ્યો,
આ વાંચતો હતો આજે બપોરે વાંચ્યું હતું
એમાંથી વિચાર આવ્યો.
00:37:53.600 --> 00:38:02.576
એક જ્ઞાયકભાવ છે.
એમ સમયસારમાં એક જ્ઞાયકભાવ,
એક જ્ઞાયકભાવ, એક જ્ઞાયકભાવ, બહુ આવે છે.
00:38:02.600 --> 00:38:26.296
એ “એક” છે એ ધર્મ છે ગુણ નથી.
જ્ઞાયકભાવ તો ગુણ છે. જ્ઞાયકભાવ તો
ગુણ છે અને એક એનો ધર્મ છે.
00:38:26.320 --> 00:38:43.896
એટલે એવી ખૂબી મૂકી એને કે એક ધર્મ છે
અને જ્ઞાયકભાવ એનો ગુણ છે એટલે અનંતગુણ
અને અનંતધર્મનું એને જ્ઞાન થઈ ગયું.
00:38:43.920 --> 00:38:59.976
જ્ઞાયકભાવ તે એનો અસાધારણ
જીવનો અસાધારણ જાણવું જાણવું
એનો અસાધારણ ગુણ છે, સ્વભાવ છે.
00:39:00.000 --> 00:39:12.176
અને એક ધર્મ છે. એક ધર્મવાળો જ્ઞાયકભાવ છે,
તો એક છે તો એની સામે ગુણો અનંત છે, અનેક છે.
00:39:12.200 --> 00:39:17.336
પર્યાય અનેક છે. એક ધર્મની સામે
બીજા અનંત ધર્મો આવી ગયા.
00:39:17.360 --> 00:39:23.016
એક ગુણથી વાત કરીને એક ધર્મથી વાત કરી.
ધર્મમાં એક શબ્દ વાપર્યો.
00:39:23.040 --> 00:39:30.896
નિત્ય-અનિત્ય શબ્દ ન વાપર્યો.
એક વાપર્યો અને
જ્ઞાયકમાં એક ગુણ વાપર્યો જ્ઞાન ગુણ.
00:39:30.920 --> 00:39:43.656
એટલે ગુણ અને ધર્મ એક જ્ઞાયકને જાણે છે
એ અનંત ગુણ અને અનંત ધર્મને જાણી લ્યે
છે. એમ મારું કહેવું છે. એ વિચાર આવ્યો.
00:39:43.680 --> 00:40:09.576
એક જ્ઞાયકભાવ છે એક જ્ઞાયકભાવ છે
એ તો વારંવાર સમયસારમાં આવે છે.
00:40:09.600 --> 00:40:19.536
નિર્જરા અધિકારમાં પણ આવે છે.
“એક” ધર્મનો દ્યોતક છે અને
“જ્ઞાયક” ગુણનો દ્યોતક છે.
00:40:19.560 --> 00:40:22.056
એમાં આખુંરૂપ આવી ગયું, એમ મારું કહેવું છે.
00:40:22.080 --> 00:40:27.336
મુમુક્ષુ:- અનંત ગુણાત્મક ને
અનંત ધર્માત્મક આખી વસ્તુનું જ્ઞાન થઈ ગયુ.
ઉત્તર:- જ્ઞાન થઈ ગયુ, એમ.
00:40:27.360 --> 00:40:57.736
આ પ્રશ્ન આવ્યો હતો ગુરૂદેવની સામે
કે અનંત ગુણનો પિંડ અને અનંત ધર્મનો
પિંડ એ દૃષ્ટિનો વિષય કે નહીં?
00:40:57.760 --> 00:41:06.336
ગુરૂદેવની સામે હું બેઠો હતો,
રાત્રે પ્રશ્ન આવ્યો.
00:41:06.360 --> 00:41:13.176
બાહર ગામનો કોઈ હતો, અભ્યાસી
હતો બિચારો, સમજવા માટે પ્રશ્ન કર્યો તો
00:41:13.200 --> 00:41:21.376
કે દૃષ્ટિના વિષયમાં એકલા અનંત ગુણનો
પિંડ આત્મા આવે કે એમાં
અનંતધર્મ પણ સાથે આવી જાય?
00:41:21.400 --> 00:41:31.016
દૃષ્ટિના વિષયમાં. જ્ઞાનના વિષયમાં
આ પ્રશ્ન નથી. તો એક વખત તો જરાક
ગુરુદેવ અચકાઈ ગયા જરાક.
00:41:31.040 --> 00:41:43.296
સીધો જવાબ ન આપ્યો, થોભી ગયા.
પછી થોડીક વાર પછી કહ્યું
એકલા ગુણો, ધર્મો ન લેવાય એમાં.
00:41:43.320 --> 00:41:54.696
બીજે દિવસે વધારે ખુલાસો કર્યો, બીજે
દિવસે વધારે ખુલાસો કર્યો, ઘોળાતું હોય ને
એને. પણ “એક” જ્ઞાયકભાવ છે ને એટલે...
00:41:54.720 --> 00:41:57.480
મુમુક્ષુ:- એમાં બધુ આવી ગયું.
ઉત્તર:- નહીં! (“એક” જ્ઞાયકભાવ છે ને)
એટલે એને વિચાર કરવો પડ્યો.
00:41:57.480 --> 00:42:03.216
મુમુક્ષુ:- હેતુસર છે ને.
ઉત્તર:- એમ હેતુસર.
00:42:03.240 --> 00:42:13.456
મુમુક્ષુ:- સમજ ગઈ, “એક” છે તે ધર્મ છે.
ઉત્તર:- ધર્મ છે તો અપેક્ષિત ધર્મ પણ દૃષ્ટિના
વિષયમાં આવે કે ન આવે? કે ન આવે, સમજી ગયા?
00:42:13.480 --> 00:42:18.536
મારી પાસે પ્રશ્નો આવ્યા હતા એ,
એનો મેં બીજી રીતે જવાબ આપ્યો હતો.
00:42:18.560 --> 00:42:26.296
મેં કહ્યુ અનંત ગુણનો પિંડ તે આત્મા,
તો અનંત ગુણની અનંત પર્યાયો પણ થાય છે,
00:42:26.320 --> 00:42:31.536
તો એ અનંત ગુણને વિષય
કરનારી પર્યાય એ એમાં અભેદ થાય છે
00:42:31.560 --> 00:42:40.016
પણ ધર્મોનો પર્યાય કોઈ ન હોય માટે
એનો (દૃષ્ટિનો) વિષય જ નથી,
દૃષ્ટિના વિષયમાં ધર્મો આવે જ નહીં.
00:42:40.040 --> 00:42:49.936
ગુણ હોય એની પર્યાય હોય.
અને એની પર્યાય એને આશ્રયે થાય
એમાંથી આવે અને એમાં જાય
00:42:49.960 --> 00:43:00.456
પણ એક-અનેક, શુદ્ધ-અશુદ્ધ, ભેદ-અભેદ,
એ તો અપેક્ષિત ધર્મો છે, કોઈ દ્રવ્ય અપેક્ષિત
ધર્મ, કોઈ પર્યાય અપેક્ષિત ધર્મ, બસ બે પ્રકાર.
00:43:00.480 --> 00:43:09.776
એકપણું છે દ્રવ્ય અપેક્ષિત ધર્મ છે.
દ્રવ્ય એક હોય અને અનેક, પર્યાયો અનેક.
એ પર્યાય અપેક્ષિત ધર્મ છે
00:43:09.800 --> 00:43:21.376
એટલે ધર્મોનો સમૂહ તે દૃષ્ટિનો વિષય નથી.
ધર્મોનો ને ગુણોનો સમૂહ જ્ઞાનનો વિષય થાય.
પ્રમાણજ્ઞાનના વિષયમાં આવે બધું, એમ.
00:43:21.400 --> 00:43:31.376
મુમુક્ષુ:- “એક” જ્ઞાયકભાવ લીધોને
એ દૃષ્ટિનો વિષય?
ઉત્તર:- એ જ આપણી ચર્ચા ચાલે છે,
00:43:31.400 --> 00:43:35.416
એ જ ચર્ચા થઇ કે જ્ઞાયકભાવ
તે દૃષ્ટિનો વિષય. એમ.
00:43:35.440 --> 00:43:43.296
પણ “એક” વિશેષણ અનેકનો નિષેધ
કરવા માટે છે એટલે
“એક” જ્ઞાયકભાવ છું એમાં કોઈ વાંધો નથી.
00:43:43.320 --> 00:44:01.016
મુમુક્ષુ:- તો કોઈ કહે કે પર્યાય સાપેક્ષ ધર્મ
નહીં આવે દૃષ્ટિના વિષયમાં પણ દ્રવ્ય સાપેક્ષ
ધર્મ દૃષ્ટિના વિષય માં આવી શકે કે નહીં?
00:44:01.040 --> 00:44:10.576
ઉત્તર:- નહીં આવે બિલકુલ.
“એક” છે એ દ્રવ્ય સાપેક્ષ ધર્મ છે,
એ “એક” પણ ન આવે એમાં.
00:44:10.600 --> 00:44:21.296
હવે “એક” આવે, આવે દાખલા તરીકે
“એક” લ્યો તમે તો જેનું અવલંબન લ્યે
એની પર્યાય હોવી જોઈએ.
00:44:21.320 --> 00:44:32.216
અનંત ગુણ અને અનંત ગુણની પર્યાય પોતાના
ગુણ પ્રધાન અભેદનું અવલંબન લ્યે છે
તો એ કાંઈ એક ધર્મને અવલંબન કોણ લ્યે?
00:44:32.240 --> 00:44:46.096
એની પર્યાય જ થતી નથી તો અવલંબન કોણ લ્યે?
ધર્મોની પર્યાય નથીને બેન?
પર્યાય હોય તો એનો અવલંબન લ્યે.
00:44:46.120 --> 00:44:54.976
શુદ્ધ અને અશુદ્ધ બે ધર્મ છે લ્યો,
આમાં આવશે શુદ્ધ ને અશુદ્ધ બે ધર્મો,
તો એ દૃષ્ટિનો વિષય છે?
00:44:55.000 --> 00:45:03.856
મુમુક્ષુ:- નહીં.
ઉત્તર:- ખલાસ થઇ ગઈ વાત. શુદ્ધ અને અશુદ્ધથી
ઉપાડો તો એકદમ ફેંસલો થઇ જાશે. તે ધર્મો છે.
00:45:03.880 --> 00:45:12.616
શુદ્ધ છે ઈ દ્રવ્ય અપેક્ષિત ધર્મ,
અશુદ્ધ છે એ પર્યાય અપેક્ષિત ધર્મ.
તે બે ધર્મો છે એ કાંઈ દૃષ્ટિનો વિષય થાય?
00:45:12.640 --> 00:45:26.336
સજ્જળ ન્યાય તો એ છે- કે પર્યાય-ગુણનું ભેદ,
અભેદનો અવલંબન લ્યે છે ત્યારે પર્યાય શુદ્ધ થાય છે.
00:45:26.360 --> 00:45:31.896
તો એક-અનેક, ભેદ-અભેદ એ તો ધર્મો છે
નિત્ય-અનિત્ય એનું અવલંબન કોણ લ્યે?
00:45:31.920 --> 00:45:42.536
એ તો જ્ઞાનનો વિષય થઇ ગયો, જાણવાનો બસ.
દૃષ્ટિના વિષયમાં એકલા ગુણો જ લેવા.
00:45:42.560 --> 00:45:55.976
પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી
એવા પણ અનંત ધર્મો છે-જે જ્ઞાનગમ્ય છે.
00:45:56.000 --> 00:46:04.856
આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ
પોતાના અનંત ધર્મો છે. આત્માના અનંત
ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે,
00:46:04.880 --> 00:46:11.376
જુઓ મૂળમાં હતું ને જે અસાધારણ શબ્દ વાપર્યો હતો.
સજાતીય-વિજાતીય એનો હવે ખુલાસો કરે છે.
00:46:11.400 --> 00:46:19.536
આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ
છે, બીજા અચેતન દ્રવ્યોમાં નથી, માટે અસાધારણ.
00:46:19.560 --> 00:46:27.376
સજાતીય જીવ દ્રવ્યો અનંત છે. સજાતીય
પોતાની જાતવાળા
જીવ દ્રવ્યો અનંત છે
00:46:27.400 --> 00:46:34.936
તેમનામાંય જોકે ચેતનપણું છે તોપણ સૌનું
ચેતનપણું નિજ સ્વરૂપે જુદું-જુદું કહ્યું છે
00:46:34.960 --> 00:46:43.976
કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી
કોઈનું કોઈમાં ભળતું નથી.
આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે.
00:46:44.000 --> 00:46:53.696
આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં
વ્યાપક છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે.
00:46:53.720 --> 00:47:00.976
તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે.
જ્ઞાન અને શબ્દબ્રહ્મ.
00:47:01.000 --> 00:47:12.296
એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ
થાય છે માટે ‘સદા પ્રકાશરૂપ રહો’
એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે.
00:47:12.320 --> 00:47:18.936
લ્યો થઈ ગયો વખત પૂરો,
આજનો સ્વાધ્યાય.