WEBVTT
00:00:00.000 --> 00:00:05.000
This pravachan was subtitled quickly for
Pariyushan. Please send errors: WhatsApp
+91 96648 57990 or rajesh@AtmaDharma.com
00:00:05.024 --> 00:00:11.260
આ પ્રવચન, પર્યુષણ માટે જલ્દી સબટાયટલ કર્યું છે.
કૃપા કરીને ભૂલો જણાવો WhatsApp
+91 96648 57990 અથવા rajesh@AtmaDharma.com
00:01:04.300 --> 00:01:16.760
આ શ્રી સમયસારજી પરમગમ શાસ્ત્ર છે,
તેનો કર્તા-કર્મ અધિકાર છે.
તેનો સ્વાધ્યાય કરશું.
00:01:16.784 --> 00:01:36.240
કર્તા અને કર્મ, પહેલા, પ્રથમ આ આત્મા છે,
તે જ્ઞાનનો કર્તા છે અને
પુણ્ય-પાપનો કરતા નથી.
00:01:36.264 --> 00:01:42.920
જ્ઞાનાવર્ણાદી ૮ પ્રકારના કર્મ બંધાઈ છે,
તેનો પણ કરતા નથી
00:01:42.944 --> 00:01:53.040
અને શરીરનો જે ભાગ છે દેહ, મન, વાણી,
વાણીનો કર્તા પણ આત્મા નથી.
00:01:53.064 --> 00:01:58.680
आत्मा ज्ञानं स्वयं ज्ञानं
ज्ञानादन्यत्करोति किम्।
00:01:58.704 --> 00:02:03.040
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।
(આત્મખ્યાતિ કળશ ૬૨)
00:02:03.064 --> 00:02:14.736
આત્મા અનાદિ કાળથી જ્ઞાનમય રહ્યો છે અને
તે અનંતકાળ સુધી જ્ઞાનમય જ રહેશે.
00:02:14.760 --> 00:02:23.096
અને દેહમય ક્યારેય થતો નથી અને
જડ કર્મમય પણ નથી થતો.
00:02:23.120 --> 00:02:31.256
અને રાગાદી વિભાવ ભાવરૂપ પણ થતો નથી.
તે તો જ્ઞાનમય આત્મા છે.
00:02:31.280 --> 00:02:43.496
તો આત્માનો સ્વભાવ જ્ઞાન અને
જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો છે.
એવો જ્ઞાનનો કરતા આત્મા છે.
00:02:43.520 --> 00:02:54.536
આત્મા કર્તા અને આત્મજ્ઞાન તેનું કાર્ય એટલે
કર્મ. કર્મ એટલે કાર્ય. આત્માનું કાર્ય શું છે?
00:02:54.560 --> 00:03:02.616
પોતાને નિરંતર જાણવું, દેખવું
તે આત્માનું કર્મ નામનું કાર્ય છે.
00:03:02.640 --> 00:03:19.056
અનાદિ કાળથી પોતાના આત્માને ભૂલી ગયો
કે હું જ્ઞાનમય છું એટલે જાણવું, દેખવું
તે જ મારું કર્તવ્ય છે, એક જ મારું કર્તવ્ય છે,
00:03:19.080 --> 00:03:23.936
તે અનંતકાળથી ભૂલી ગયો.
00:03:23.960 --> 00:03:34.216
અને શરીરાદી નોકર્મ જ્ઞાનાવરણાદી દ્રવ્યકર્મ જડ અચેતન છે,
00:03:34.240 --> 00:03:44.056
તેમનો કર્તા ન હોવા છતાં પણ
હું તેનો કર્તા છું
એવી ભ્રાંતિ થઈ ગઈ છે.
00:03:44.080 --> 00:03:55.896
જે હાથ હલે છે,
અને પગ પોતાથી ચાલે છે,
પોતાથી હાથ હલે છે,
00:03:55.920 --> 00:04:12.896
પગ તો પોતથી ચાલે છે, તેનો કર્તા ન હોવા
છતાં પણ તેની દષ્ટિ તો જ્ઞાયક ઉપર નથી
અને હાથ અને પગ ઉપેર દષ્ટિ છે, લક્ષ છે,
00:04:12.920 --> 00:04:26.416
તો તેની અને પુદગલની ક્રિયા સ્વયં પોતાથી થતી હોવા
છતાં પણ તે ક્રિયાનો પ્રતિભાસ ઉપયોગમાં થાય છે,
00:04:26.440 --> 00:04:35.896
જેમ દર્પણમાં અગ્નિનો પ્રતિભાસ થાય છે
પણ અગ્નિ દર્પણમાં આવતી નથી.
00:04:35.920 --> 00:04:43.948
એમ સ્વયં હલતા હાથ
અને સ્વયં ચાલતા પગ,
00:04:43.972 --> 00:04:58.256
પગ - તેમની ક્રિયા જ્ઞાનમાં જાણવામાં આવે છે,
તો હું કેવળ જાણનર છું
એમ હોવું જોઈએ, તે ભૂલી ગયો.
00:04:58.280 --> 00:05:06.976
તો મેં હાથ હલાવ્યા અને મેં પગ ચલાવ્યા એમ
00:05:07.000 --> 00:05:24.816
બે દ્રવ્યની વચમાં કરતા કર્મ સંબંધનો
અભાવ હોવા છતાં હું કરતા અને આ જડ
ક્રિયા થાય છે, (તે) મારુ કાર્ય છે
00:05:24.840 --> 00:05:35.136
એમ અનાદિ કાળથી બે દ્રવ્યની વચમાં
કરતા કર્મનો સંબંધનો અભાવ હોવા છતાં પણ
00:05:35.160 --> 00:05:48.776
હું કરતા છું અને તે મારુ કાર્ય છે
એવી ભ્રાંતિ અનાદિકાળથી થઈ છે.
તે ભ્રાંતિ છે.
00:05:48.800 --> 00:06:05.656
કેમકે તે જડ પદાર્થ પણ પરિણમનશીલ છે.
તે સ્વયં કરતા કર્મ પુદગલનું પુદગલમાં છે.
જીવનો કરતા કર્મ જીવમાં છે.
00:06:05.680 --> 00:06:20.616
જીવ કરતા થઈ જાય અને હાથ હાલે તે તેનું
કાર્ય-કર્મ બની જાય એમ ત્રણ કાળમાં બંનવાનું
નથી. માને છે તે તેનું અજ્ઞાન છે.
00:06:20.640 --> 00:06:33.416
એમ અંદરમાં જે પુણ્ય-પાપની વૃતિની
ઉત્થાન થાય છે, શુભાશુભ ભાવની
લાગણી નું કાર્ય થાય છે,
00:06:33.440 --> 00:06:39.016
સંકલ્પ વિકલ્પની વિભાવ-વિકાર
પર્યાય પ્રગટ થાય છે.
00:06:39.040 --> 00:06:46.016
જેમ હાથ હલે છે, એમ રાગ થાય છે.
00:06:46.040 --> 00:06:55.776
રાગ રાગથી પોતે હોવા છતાં પણ,
જેમ હાથ પોતાથી હલે છે,
00:06:55.800 --> 00:07:07.016
એની દ્રષ્ટિ હાથ ઉપર છે જ્ઞાતા પર નથી
તો મે હાથ હલાવ્યો એવી ભ્રાંતિ
અજ્ઞાન મિથ્યાત્વ ઉત્પન થઈ જાય છે.
00:07:07.040 --> 00:07:21.256
એવી રીતે પુણ્ય પાપના પરિણામ પણ પોતાથી
ઉત્પન્ન થાય છે. નૈસર્ગિક છે એવો,
સમયસારમાં સંસ્કૃતનો પાઠ છે.
00:07:21.280 --> 00:07:37.496
એને કરવાવાળો આત્મા નથી એને
જાણવા વાળો છે, પણ કરવાવાળો નથી
તો પણ હું જાણનાર છું, એ ભૂલી ગયો છે
00:07:37.520 --> 00:07:45.296
અને રાગનો પ્રતિભાસ, રાગની ક્રિયા
સ્વચ્છ જ્ઞાનમાં પ્રતિભાસ તો થાય છે.
00:07:45.320 --> 00:08:01.336
પ્રતિભાસના સમયે જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન
એવા ભેદજ્ઞાનનો અભાવ હોવાથી અજ્ઞાનીને
એવી ભ્રાંતિ થઈ જાય છે કે રાગ મેં કર્યો.
00:08:01.360 --> 00:08:14.396
મેં જ્ઞાન કર્યું કે રાગ કર્યો?
એનો વિચાર પણ કરતો નથી તો રાગ
ની સાથે કર્તા કર્મ ની ભ્રાંતિ થઈ ગઈ.
00:08:14.420 --> 00:08:21.616
આત્મા કર્તા અને રાગાદી મારું
કાર્ય-કર્મ તે અજ્ઞાનમય ભાવ છે.
00:08:21.640 --> 00:08:34.176
કેમકે સ્વભાવ અને વિભાવની વચમાં
કર્તા કર્મ સંબંધ નથી અને જીવ અને અજીવ
ની વચ્ચે પણ કર્તા કર્મ સંબધ નથી.
00:08:34.200 --> 00:08:44.900
હા, કર્તા કર્મ સંબધ એટલો છે કે આત્મા
કર્તા અને આત્માનું અતીન્દ્રિયજ્ઞાન
થયું; ઇંદ્રિયજ્ઞાનની વાત નથી.
00:08:45.100 --> 00:08:57.056
ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી જ્ઞેય છે. તો
અતીન્દ્રિય જ્ઞાન દ્વારા, જે આત્મા
સ્વસંવેદન જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થઈ જાય છે.
00:08:57.080 --> 00:08:59.936
અનુભવમાં વેદન પ્રત્યક્ષ આવે છે.
00:08:59.960 --> 00:09:07.736
તો એ જે અતીન્દ્રિય જ્ઞાન કર્મ નામ
કાર્ય છે આત્માનું, એ સ્વભાવ ક્રિયા છે.
00:09:07.760 --> 00:09:25.016
અને આત્મા એનો કર્તા છે એવો કર્તા કર્મ
એક દ્રવ્યમાં થાય છે અને
સ્વજાતિ માં થાય છે. શું કહ્યું?
00:09:25.040 --> 00:09:35.136
એક દ્રવ્યમાં હોય છે અને
સ્વજાતિની વચ્ચે
કર્તા કર્મ સંબધ હોય છે.
00:09:35.160 --> 00:09:47.696
આત્મા જ્ઞાનમય છે, કે આત્મા નું જ્ઞાન
એનું કર્મ છે આત્મા કર્તા એક દ્રવ્ય
થઈ ગયું અને બીજી સ્વજાતિ થઈ ગઈ.
00:09:47.720 --> 00:09:54.856
આત્મા ચેતન અને પરિણામ ચેતના
તે સ્વજાતિનું પરિણામ થયું
00:09:54.880 --> 00:10:02.776
પોતાની જાતિનું પરિણામ થયું તો
એની વચમાં કર્તા કર્મ સંબધ
વ્યાપ્ય વ્યાપક સંબધ બને છે.
00:10:02.800 --> 00:10:08.616
પરદ્રવ્ય ને સાથે કર્તા કર્મ સંબધ
નથી હોતો જડ ચેતનની વચ્ચે,
00:10:08.640 --> 00:10:17.696
અને આત્મા ચેતન અને રાગાદી
વિભાવ ભાવ, એ વિભાવ ભાવ છે,
સ્વજાતિ ભાવ નથી.
00:10:17.720 --> 00:10:30.776
એથી પરમાર્થ દ્રષ્ટિ થી જોવા જઈએ તો
આત્માના સ્વભાવની સમીપ જઈને જોઈએ તો
રાગ સાથે કર્તા કર્મ સંબધ નથી.
00:10:30.800 --> 00:10:44.096
તો કર્તા કર્મ અધિકાર માં આ કર્તા કર્મ
અધિકાર. હજારો લાખો દિગંબર શાસ્ત્ર છે. પણ
સ્પેશિયલ કર્તા કર્મ અધિકાર સમયસાર માં આવ્યો.
00:10:44.120 --> 00:11:01.296
આ સમયસાર માં કર્તા કર્મ અધિકાર આવવાનું કારણ
છે કે એ સમયે એટલો મિથ્યાત્વ અંધકાર ફેલાઈ
ગયો હતો કે કોઈ લોકો માનતા હતા કે ઈશ્વર કર્તા છે.
00:11:01.320 --> 00:11:11.776
ઈશ્વર જીવોને સુખી-દૂખી કરે છે,
એવી ભ્રાંતિ ફેલાઈ ગઈ હતી તો એનો
નિષેધ કરવા માટે
00:11:11.800 --> 00:11:20.056
એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા થઈ
શકે નહીં, એ વાત કર્તા કર્મ
અધિકારમાં એમણે લખી.
00:11:20.080 --> 00:11:33.616
બીજી વાત એવો અંધકાર ફેલાઈ ગયો કે
જેમ જેમ કર્મનો ઉદય આવે છે એમ એમ
ક્રોધાદી ક્રિયા થઈ જાય છે હું શું કરું?
00:11:33.640 --> 00:11:43.176
ક્રોધ કરવો તો મારામાં નથી પણ મારા ચારિત્ર
મોહ કર્મનો ઉદય આવ્યો તો ક્રોધ થયો
00:11:43.200 --> 00:11:54.616
જાણે તે જડકર્મ કર્તા અને એ વિભાવ ભાવ
એનો કર્મ એવી અનાદિ કાળની ભ્રાંતિથી
00:11:54.640 --> 00:12:00.416
તો આચાર્ય ભગવાને કહ્યું કે
જડ પદાર્થથી રાગ થતો નથી
00:12:00.440 --> 00:12:10.696
અને રાગ જે પોતાના સ્વભાવને ભૂલીને
કરે છે તો અજ્ઞાની બની જાય છે અને
અકર્તા બને છે તો જ્ઞાની બની જાય છે.
00:12:10.720 --> 00:12:24.016
એમ કર્તા કર્મ અધિકાર સ્પેશિયલ આવ્યો. આખા
સમયસાર માં ૪૧૫ ગાથા છે એમાં વધારેમાં
વધારે કર્તા કર્મ અધિકારની ગાથા છે.
00:12:24.040 --> 00:12:34.416
એટલે આત્મા જ્ઞાતા હોવા છતાં પણ અનાદિ
કાળથી પોતે પોતાથી બીજાના ઉપદેશ વગર
00:12:34.440 --> 00:12:46.896
હું પોતે જ્ઞાતા છું ભૂલીને હું કર્તા છું એવી
અનાદિ કાળથી ભ્રાંતિ એની થઈ ગઈ છે.
ભ્રાંતિ ટાળવા માટે કર્તા કર્મ અધિકાર છે.
00:12:46.920 --> 00:12:54.376
અને એનાથી પણ વધારે શૂક્ષ્મ આ
૭૩ ગાથા માં કહેવું છે.
00:12:54.400 --> 00:13:00.976
રાગનો કર્તા તો આત્મા નથી જ
કર્તા માનવવાળા અજ્ઞાની બની જાય છે.
00:13:01.000 --> 00:13:12.136
રાગનો કર્તા માને છે એ અજ્ઞાની બને છે.
અજ્ઞાની છે એટલે રાગનો કર્તા છે
એવું નથી. શું કહ્યું?
00:13:12.160 --> 00:13:27.656
અજ્ઞાની છે એટલે રાગનો કર્તા છે એવું નથી.
રાગનો કરવા વાળો હું છું એવું જે માને છે
તે એ સમયમાં એક સમયને માટે અજ્ઞાની બને છે.
00:13:27.680 --> 00:13:38.296
બીજા સમયે અરે! હું તો જ્ઞાતા છું રાગનો
કરવાવાળો નથી હું તો સમ્યગજ્ઞાન પ્રગટ થઈ
જાય છે. જ્ઞાન અભિમુખ થઈ જાય છે.
00:13:38.320 --> 00:13:49.976
હવે આનાથી વધારે શૂક્ષ્મ વાત અહીયાં તો એ કરવી
છે કે આત્મા કર્તા અને આત્મજ્ઞાન ના પરિણામ
00:13:50.000 --> 00:13:55.936
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના
જે પરિણામ ઉત્પન્ન થાય છે
00:13:55.960 --> 00:14:06.816
વ્યવહાર મોક્ષમાર્ગ નો એ કર્તા નથી જ
એ તો સ્વભાવ અને વિભાવની વચમાં
કર્તા કર્મ સંબધ નથી.
00:14:06.840 --> 00:14:17.936
પણ આત્મા ચેતન છે
ચૈતન્ય એનો ગુણ છે અને
જ્ઞાન ચેતના એનું પરિણામ છે.
00:14:17.960 --> 00:14:27.696
તો જ્યારે જ્ઞાન ચેતના પરિણામ પ્રગટ
થાય છે આત્માશ્રિત, એ પોતે એના
ષટ્કારક થી પ્રગટ થાય છે.
00:14:27.720 --> 00:14:39.696
હું આત્મજ્ઞાન નો કર્તા હું નથી.
હું એ કાર્યનો જ્ઞાતા છું એ પણ વ્યવહાર છે.
શું કહ્યું?
00:14:39.720 --> 00:14:50.256
કે એ જે જ્ઞાનચેતના પ્રગટ થાય છે
જેમાં આનંદ આવે છે અતીન્દ્રિય આનંદ
સામ્યગજ્ઞાન ની પર્યાયની વાત ચાલે છે.
00:14:50.280 --> 00:15:01.176
એ થાય છે એવું હું જાણું છું.
મે કહ્યું એવું સામ્યગજ્ઞાનમાં
જાણવામાં આવતું નથી.
00:15:01.200 --> 00:15:10.296
અને ક્યારેક શાસ્ત્રમાં આવે કે
જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધ
કરવામાં નથી આવી એટલે કર્તા છે
00:15:10.320 --> 00:15:17.976
એ વાત કર્તાનો ઉપચારથી કર્તા છે એવું
સમજવું જોઈએ. વ્યવહાર નયથી કથન છે.
00:15:18.000 --> 00:15:29.096
પરિણામનો કર્તા કહેવો એ પણ વ્યવહાર નય
નું કથન છે, કેમકે આત્મા અકારક,
અવેદક, અકર્તા છે અભોક્તા છે આત્મા.
00:15:29.120 --> 00:15:35.536
આત્મા જ્ઞાતા છે, જ્ઞાતા છે એટલે જાણવા
વાળો તો છે પણ કરવાવાળો નથી.
00:15:35.560 --> 00:15:44.776
જાણનક્રિયા પણ સ્વયં (પોતાથી) થાય છે,
ઓહોહો! એવું જ્ઞાન જાણે છે,
મેં જ્ઞાન કર્યું. એમ જાણતો નથી.
00:15:44.800 --> 00:15:50.696
તો દ્રષ્ટિ પર્યાયથી ખસીને દ્રવ્ય પર આવે છે
તો એને આત્માનો અનુભવ થઈ જાય છે.
00:15:50.720 --> 00:16:01.056
કેમકે પરિણામ સત, અહેતુક નિરપેક્ષ હોય છે
કેમકે પરિણામને ઉત્પન્ન કરવાવાળું
ધ્રુવ તત્વ નથી.
00:16:01.080 --> 00:16:11.096
આહાહા! એવી અલૌકિક વાત આ ૭૩
નંબરની ગાથા માં શિષ્યનો પ્રશ્ન છે.
શિષ્યનો પ્રશ્ન પહેલાં વાંચીએ.
00:16:11.120 --> 00:16:23.536
હવે એ પ્રશ્ન કરે છે કે:આ આત્મા, મારો
આત્મા, કઈ વિધિથી આશ્રવોથી નિવૃત થાય છે?
00:16:23.560 --> 00:16:32.616
એટલે જે મિથ્યાત્વ નામનો આશ્રવ,
અજ્ઞાન નામનો આશ્રવ,
એ કષાય ના પરિણામ જે ઉત્પન્ન થાય છે
00:16:32.640 --> 00:16:40.576
એમાં મને દૂ:ખ નું વેદન આવે છે
તો એ પણ દૂ:ખ નથી જોતું.
00:16:40.600 --> 00:16:48.016
દુ:ખની નિવૃતિ એટલે
આશ્રવ ની નિવૃતિની વિધિ શું છે?
00:16:48.040 --> 00:17:02.856
વિધિ, જેમ હલવો બનાવવાનો વિધિ આવે છે ને
એમ આ દૂ:ખ ની નિવૃતિનો ઉપાય શું છે
એમ જીજ્ઞાશું જીવે પૂછ્યું.
00:17:02.880 --> 00:17:09.456
એનો અર્થ એ થયો કે પોતાની પર્યાય માં દોષ તો છે.
00:17:09.480 --> 00:17:20.256
દોષ નો તો સ્વીકાર કરી લીધો.
સ્વછંદી નથી, નિશ્ચયાભાષી નથી,
સમજ્યા? શું સમજ્યા?
00:17:20.280 --> 00:17:24.376
મુમુક્ષુ: નિશ્ચયાભાષી નથી અને
દોષનો ( સ્વીકાર કરવાવાળો છે).
ઉત્તર: સ્વછંદી નથી.
00:17:24.400 --> 00:17:30.616
દોષનો સ્વીકાર કરી લીધો કે પ્રભુ
મારા સ્વભાવનું અવલંબન નથી થતું.
00:17:30.640 --> 00:17:36.736
અને મને શાંતિનું વેદન નથી આવતું.
સુખનું વેદન નથી આવતું.
00:17:36.760 --> 00:17:47.676
૨૪ કલાક સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે
અને એનાથી હું દૂખી છું. પ્રભુ કોઈ
સુખનો ઉપાય મને બતાવો.
00:17:47.700 --> 00:17:51.536
સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ની ઓળખાણ તો થઈ ગઈ.
00:17:51.560 --> 00:17:59.176
એ સાચા દેવ શાસ્ત્ર ગુરુની ઓળખાણ
થયા પછી એને સંતોષ નથી.
00:17:59.200 --> 00:18:06.456
ઠીક છે બીજા પાસે તો કુદેવ-કૂગુરુ-
કૂશાસ્ત્ર છે તો સંસારમાં રખડસે.
00:18:06.480 --> 00:18:15.176
હું તો સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ની સમીપ આવી
ગયો એમાં કાંઇ માલ નથી, આવી ગયો તો શું?
00:18:15.200 --> 00:18:24.416
દેવ-ગુરુ- શાસ્ત્ર તને મોક્ષ દેવા વાળા છે?
લેવું દેવું તો વ્યવહારની વાત છે.
એ બધું છે જ નહીં. એવો વ્યવહાર જ નથી.
00:18:24.440 --> 00:18:36.816
નિશ્ચય તો નથી વ્યવહારની કોઈ વાત
સમ્યગ્દર્શન આપી દયે અને શિષ્ય લઈ લ્યે
એવો વ્યવહાર પણ નથી આહાહા !
00:18:36.840 --> 00:18:48.440
તો હવે શું કરવું? કે જે અરિહંત દેવ,
આત્મજ્ઞાની ગુરુ, જિનવાણી
આ આત્માનું સ્વરૂપ જે ફરમાવે છે
00:18:48.460 --> 00:18:56.656
એવા સ્વરૂપનો નિર્ણય કરીને
એનો પ્રત્યક્ષ અનુભવ કરીને
આશ્રવ ની નિવૃતિ થઈ જાય છે.
00:18:56.680 --> 00:19:03.616
એટલે અજ્ઞાનની નિવૃતિ થઈ જાય છે
તો અજ્ઞાન એટલે દુ:ખ ની પણ નિવૃતિ થઈ જાય છે.
00:19:03.640 --> 00:19:10.816
કર્મ ચેતના જ પ્રગટ નથી થતી
તો કર્મ ફળ ચેતના હોતી નથી,
તો જ્ઞાન ચેતના પ્રગટ થઈ જાય છે.
00:19:10.840 --> 00:19:21.616
તો શિષ્ય નો પ્રશ્ન છે કે પ્રભુ હું દૂખી છું.
દૂ:ખ ની નિવૃતિનો ઉપાય બતાવો!
આહાહા! તો આચરી ભગવાન ઉપાય બતાવે છે.
00:19:21.640 --> 00:19:28.096
આચાર્ય ભગવાન એવો ઉપાય નથી બતાવતા
કે તમે આમ કરો, આમ કરો, આમ કરો,
00:19:28.120 --> 00:19:31.976
દાન કરો, શિયળ પાળો, વ્રત કરો,
તપ કરો, પ્રતિક્રમણ જાત્રા કરો આહાહા!
00:19:32.000 --> 00:19:36.176
મંદિર બનાવો. એવી વાત તો
નથી એ તો શુભભાવ છે.
00:19:36.200 --> 00:19:44.656
કર્તા બુદ્ધિની સાથે સાથે મિથ્યાત્વ ની સાથે સાથે
મિથ્યાત્વ સાથે રાખીને શુભ ભાવ આનંતવાર કર્યો
00:19:44.680 --> 00:19:51.176
પણ મિથ્યાત્વ છોડીને શુભ ભાવ આવ્યો નહીં!
શું શબ્દ ફરી ગયો!
00:19:51.200 --> 00:19:58.456
મુમુક્ષુ: મિથ્યાત્વ છોડીને શુભ ભાવ આવ્યો નહીં!
કમાલ કરી દીધી સાહેબ!
ઉત્તર: પહેલાં મિથ્યાત્વ સહિત શુભ ભાવ કરતો હતો!
00:19:58.480 --> 00:20:08.376
હવે આત્મા ભાન થયું તો મિથ્યાત્વ રહિત શુભ
ભાવ આવે છે એને જાણે છે પણ કરતો નથી.
00:20:08.400 --> 00:20:16.936
કાર્ય ઊંધું ચત્તું થઈ ગયું આહાહા! બંધ માર્ગ
થી નીકળી ગયો મોક્ષમાર્ગમાં આવી ગયો,
અલ્પ કાળમાં મુક્તિ થવાની છે.
00:20:16.960 --> 00:20:28.936
આહાહા! એવા અપૂર્વ આ સમયસાર!
અમે તો જન્મથી સ્થાનકવાસી હતા સમજ્યા?
તમે તો જન્મથી દિગંબર છો.
00:20:28.960 --> 00:20:39.216
મુમુક્ષુ: એ પણ નકામું! કાંઇ ખબર નથી.
ઉત્તર: પ્રભુ આ શું કુંદ-ુંકુંદ આદિ આચાર્ય
ભાવલિંગી સંત ફરમાવે છે તારું સ્વરૂપ આહાહા!
00:20:39.240 --> 00:20:48.736
લક્ષમાં લે, લક્ષમાં લે, શાંતિથી વિચાર કર
વ્યવહારનો પક્ષપાત છોડીને નિશ્ચયના પક્ષમાં આવી જા
00:20:48.760 --> 00:20:58.136
અને નિશ્ચયનો પક્ષ છોડીને અનુભવમાં આવી જા.
આહાહા! નિશ્ચયના પક્ષવાળા પણ સંસારી છે! આહાહા!
00:20:58.160 --> 00:21:08.016
વ્યહરનો પક્ષવાળા તો સંસારી છે જ પણ
સમયસાર વાંચવા વાળા પણ જો આત્માનો અનુભવ ન કરે
00:21:08.040 --> 00:21:17.816
અને આત્માનું સ્વરૂપ જેવું છે એવા પક્ષનો
વિકલ્પ કરે તો એ પણ સંસાર છે. આહાહા!
00:21:17.840 --> 00:21:26.256
મુમુક્ષુ: સાહેબ! અફર ફરમાન!
ઉત્તર: આ જિનગમ માં કોઈ છૂટછાટ નથી! આહાહા!
00:21:26.280 --> 00:21:37.016
આવો શિષ્ય નો પ્રશ્ન છે, ઉત્તર પણ
ઉત્તમ માં ઉત્તમ હમણાં આવશે ! જોજો!
00:21:37.040 --> 00:21:53.536
अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो।
तम्हि ठिदो तच्छितो सव्वे एदे खयं णेमि
।।७३।।
00:21:53.560 --> 00:22:21.216
હું એક શુદ્ધ મમત્વહિન રૂ, જ્ઞાન દર્શન પૂર્ણ છું.
એમાં રહું સ્થિત લીન એમાં, તરત જ આ બધું ક્ષય કરું
।।७३।।
00:22:21.240 --> 00:22:51.936
ક્ષય નો અવાજ છે. આહાહા! આ પાંચમો આરો ( કાળ ) છે
ચોથા આરો ( કાળ ) નથી. પંચમ કાળ છે.
સમજ્યા?
00:22:51.960 --> 00:23:01.856
તો આ પંચમકાળમાં કશાઈયક સમ્યગ્દર્શન નથી
હોતું અને ક્ષીએક ચારિત્ર પણ નથી થતું.
00:23:01.880 --> 00:23:10.736
પણ પંચમ કાળમાં ઉપશમ સમ્યગ્દર્શન
અને ક્ષયોપક્ષમ સમ્યગ્દર્શન હોય છે.
00:23:10.760 --> 00:23:26.176
પણ અહીયાં એવું છે કે કોઈ જીવ ક્ષયોપક્ષમ
સમ્યગ્દર્શન લઈને આવે છે પંચમકાળમાં
આ કાળ માં તો અપ્રતિહત રૂપથી, આહાહા!
00:23:26.200 --> 00:23:31.256
એને નિયમથી આગળ ક્ષાયિક થઈ જાય છે.
00:23:31.280 --> 00:23:40.376
આગળ જ્યારે કેવલી-શ્રુત કેવલી ની સમીપ
થઈ ગયા (જવાથી) નિમિત રૂપ થી, અને પોતાનું
ઉપાદાન, તો ક્ષાયિક થઈ જાય છે.
00:23:40.400 --> 00:23:45.376
અહીયાં હજી ક્ષાયિક નથી તો
પણ ક્ષય ની ધ્વનિ છે. આહાહા!
00:23:45.400 --> 00:23:59.576
એની મૂળ ગાથા ૨૦૦૦ વર્ષ પહેલાં
કુંદકુંદ આચાર્ય ભગવાન મદ્રાસ થી
૮૦ માઇલ દૂર એક પોન્નુર હિલ છે.
00:23:59.600 --> 00:24:05.536
પોન્નુર નો અર્થ સોનું પોન્નુર નો અર્થ
સોનાની હિલ ટેકરી (પહાડ) આહાહા!
00:24:05.560 --> 00:24:11.896
તપોભૂમિ છે એમની પાદુકા પણ છે.
00:24:11.920 --> 00:24:20.496
ત્યાં થી ગયા, મહાવિદેહ ક્ષેત્રે પધાર્યાં, યાત્રા
થઈ યાત્રા, મોટી યાત્રા, ભગવાન ના શાક્ષાત દર્શન
00:24:20.520 --> 00:24:23.416
ત્યાંથી આવીને અહીયાં શાસ્ત્ર લખ્યા.
00:24:23.440 --> 00:24:31.536
એમાં તેઓ ફરમાવે છે કે સાંભળ ભાઈ.
કે જ્ઞાની વિચાર કરે છે કે
00:24:31.560 --> 00:24:48.576
એવો પાઠ છે જ્ઞાની એટલે જેની અંદર મન વાળા
પ્રાણી હોય વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ ગઈ હોય
એટલો ક્ષયોપક્ષમ તો થઈ ગયો છે એનું નામ જ્ઞાની છે.
00:24:48.600 --> 00:24:57.616
ની એટલે ધર્માત્મા સમ્યગદ્રષ્ટિ નહીં
સમ્યગદ્રષ્ટિ ને વિચાર કરવાની
જરૂરત રહેતી નથી.
00:24:57.640 --> 00:25:04.816
વિચાર તો જેને અનુભવ નથી,
એને વિચાર કરવાની જરૂરત રહે છે.
00:25:04.840 --> 00:25:17.896
અને વિચાર પણ કરીને અટકવું નહીં.
વિચાર કરીને નિર્ણય કરવો અને નિર્ણય
કર્યા પછી અનુભવ કરી લેવો.
00:25:17.920 --> 00:25:25.976
પહેલાં અને પછી. આ ગાથાનો પૂર્વાર્ધ
અને ઉત્તરાર્ધ બે ભેદ છે. પૂર્વાર્ધ સમજ્યા?
00:25:26.000 --> 00:25:30.976
હા, અલ્પ-વિરામ હોય છે.
અને ઉત્તરાર્ધ જે આવે છે પૂરો થઈ જાય છે.
00:25:31.000 --> 00:25:42.456
પૂર્વાર્ધમાં શું કે આત્માનું સ્વરૂપ શું છે
એમ તમે સમજીને પહેલાં નિર્ણય કરી લો. આહાહા!
00:25:42.480 --> 00:25:53.576
કેવળ સાંભળવાથી કાર્ય સિદ્ધિ નથી થતી
અને કેવળ શાસ્ત્ર સ્વાધ્યાય કરવાથી
કાર્ય સિદ્ધિ નથી થતી
00:25:53.600 --> 00:26:03.976
અને ઉપર ઉપરના નિર્ણયથી પણ સાધ્ય
ની સિદ્ધિ નથી થતી. ધારણા થી પણ
સાધ્યની સિદ્ધિ નથી થતી.
00:26:04.000 --> 00:26:14.056
શાસ્ત્રમાં ગાથા લખી તે મોઢેથી બોલી ગયા,
એનાથી કાંઇ નથી થતું. એ તો વિકલ્પમાં
શબ્દની પર્યાય છે. એમાં આત્મા નથી.
00:26:14.080 --> 00:26:22.016
પણ તું નિર્ણય કર હું કહું છું
કે આત્માનું તારું સ્વરૂપ શું છે?
તારું સ્વરૂપ હું બતાવું છું.
00:26:22.040 --> 00:26:34.096
તારા સ્વરૂપને હું આપતો નથી. તારું
સ્વરૂપને તું જાણતો નથી તો તારા
સ્વરૂપને હું શબ્દ દ્વારા બતાવું છું.
00:26:34.120 --> 00:26:43.456
એવી મારી કરુણાનો ભાવ થોડો આવી ગયો છે.
આહાહા! નિષ્કારણ કરુણા છે. અકારણ કરુણા.
00:26:43.480 --> 00:26:51.696
જ્ઞાની સ્વરૂપમાં લીન રહી શકતા નથી
ત્યારે એમને શાસ્ત્ર લખવાનો ભાવ આવી જાય છે.
00:26:51.720 --> 00:27:00.896
તો જ્ઞાની વિચાર કરે છે જ્ઞાની એટલે
જ્ઞાન જેમાં પ્રગટ છે ક્ષયોપક્ષમ, મનવાળા પ્રાણી.
00:27:00.920 --> 00:27:12.576
જેમને મન નથી તેમને વિચાર કરવાની
શક્તિ (નથી). હેય શું અને ઉપાદેય
શું એની શક્તિ પાંચ ઈંદ્રિયમાં નથી.
00:27:12.600 --> 00:27:21.656
પરંતુ મન છે મન! મનના બે પ્રકાર છે.
એક ભાવ મન અને એક દ્રવ્ય મન.
00:27:21.680 --> 00:27:31.856
જેમ આ દ્રવ્યઇન્દ્રિય છે કાન, એ તો જડ છે.
એવું જે મન છે અહીયાં દ્રવ્ય મન તે
ઓપરેશન કરવાથી દેખાતું નથી.
00:27:31.880 --> 00:27:43.136
એવું મનોવર્ગણા નામનું સૂક્ષ્મ પરમાણુથી બનેલું
એક આઠ પાંખડી (પંખુડી) જેવું ખુલેલું કમળ
છે ને એવું અહીયાં મન છે. મન અહીયાં નથી.
00:27:43.160 --> 00:27:55.616
જડ મન અહીયાં છે. જડ મન છે ને દ્રવ્ય મન એ
અહીયાં છે અને એના સંગથી જે ઉપયોગ ત્યાં
લાગે છે એનું અવલંબન કરે છે ઉપયોગ,
00:27:55.640 --> 00:28:06.216
આત્માનું અવલંબન કરે (ઉપયોગ) તો તો દ્રવ્ય
મનનું અવલંબન છૂટે અને ભાવમન પણ વિશ્રામ
થઈ જાય અને આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય છે.
00:28:06.240 --> 00:28:11.976
પરંતુ ઉપયોગ આત્મામાં નથી લાગતો તો
ઉપયોગ મનના સંગથી કામ કરે છે.
00:28:12.000 --> 00:28:22.936
તો ભાવમન થી જો વિચાર કરીને
હું એક છું, શુદ્ધ છું, નિર્મમત્વ છું અને
જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ છું આ ગાથામાં છે
00:28:22.960 --> 00:28:41.616
જ્ઞાની વિચાર કરે છે કે નિશ્ચય થી એટલે ખરેખર
એક સાચું અને એક ખોટું
એક સત્યાર્થ એક અસત્યાર્થ.
00:28:41.640 --> 00:28:54.296
નિશ્ચયથી હું એક છું આહાહા!
તું એવો વિચાર કરીને નિર્ણય કર કે
હું એક છું, અનેક રૂપ નથી.
00:28:54.320 --> 00:29:03.456
એક, અનેકનો નિષેધ કરે છે.
એક જે શબ્દ છે એ અનેકનો નિષેધ કરે છે.
00:29:03.480 --> 00:29:07.616
હું પુરુષ છું અને હું સ્ત્રી છું અને
હું દેવ છું અને હું મનુષ્ય છું.
નથી નથી નથી આહાહા!
00:29:07.640 --> 00:29:19.416
હું ૧૪ ગુણસ્થાન વાળો છું. નહીં તું એક છે.
આહાહા! ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન
જીવસમાસ એ તો સ્વાંગ છે.
00:29:19.440 --> 00:29:23.696
આ તું નથી, એનાથી ભિન્ન તું તો એક જ્ઞાયક ભાવ છે.
00:29:23.720 --> 00:29:43.816
હું એક છું આહાહા! થવાનું નથી. હું! ક્યારે?
જ્યારે ભણું ત્યારે જ્યારે સાંભળું ત્યારે
એક હું આહાહા! હું એક હું.
00:29:43.840 --> 00:29:59.616
બીજો શબ્દ હું શુદ્ધ છું .હું શબ્દ છે ને ?
હું , અક્ષર છે હું . આદ્યદિપક છે.
આદ્યદિપક માં હું શબ્દ લેવો છે.
00:29:59.640 --> 00:30:07.056
હું એક છું હું શુદ્ધ છું.
હું નિર્મમત્વ છું.
હુંદર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું.
00:30:07.080 --> 00:30:14.856
હું એક હું અને હું શુદ્ધ હું આહાહા!
શુદ્ધ થવું નથી મારે.
00:30:14.880 --> 00:30:28.776
જે નથી એની ભાવના નથી હોતી
અને જે છે એની ભાવના થઈ શકે છે.
00:30:28.800 --> 00:30:38.016
જે છે એનું ધ્યાન થઈ શકે છે,
જે નથી એનું ધ્યાન થઈ શકતું નથી.
00:30:38.040 --> 00:30:42.816
નથી એનું જ્ઞાન હોય છે પણ ધ્યાન હોતું નથી.
00:30:42.840 --> 00:30:50.616
શું કહ્યું? છે એનું ધ્યાન થાય છે.
નથી એનું (ધ્યાન હોતું નથી).
00:30:50.640 --> 00:31:01.816
જે પર્યાય ગઈ એનું ધ્યાન કેવી રીતે કરે? અને
ભાવિ પર્યાય આવી નથી એનું ધ્યાન કેવી રીતે કરે?
અને વર્તમાનમાં તો રાગ છે એનું ધ્યાન કેવી રીતે કરે?
00:31:01.840 --> 00:31:16.016
ધ્યાનનો તો વિષય હોવો જોઈએ એંડ ધ્યાન નો
વિષય અવિનાશી હોવો જોઈએ. ધ્યાન
સમયવર્તી છે અને ધ્યેય ત્રિકાળવર્તી છે.
00:31:16.040 --> 00:31:26.216
અને જ્યારે ધ્યેયનું ધ્યાન થાય છે
ત્યારે ધર્મ ધ્યાન પ્રગટ થઈ જાય છે.
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર.
00:31:26.240 --> 00:31:40.256
ધ્યાન કરવા હું બેસું છું પણ ધોળું ( સફેદ),
લાલ, પીળું એવા પ્રકાશ દેખાય છે. કેમ? કે જે
ધ્યેય છે એનું સ્પષ્ટ જ્ઞાન એની પાસે નથી.
00:31:40.280 --> 00:31:50.816
ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વગર તો
ધર્મ ધ્યાન પ્રગટ નથી થતું.
અત્યારે તો ધ્યેયની વાત ચાલે છે.
00:31:50.840 --> 00:31:53.216
ધયનની વાત આગળ કરીશું.
00:31:53.240 --> 00:32:07.416
હું એક છું અને હું શુદ્ધ છું. સંવર, નિર્જરા
અને મોક્ષ એતો ક્ષણિક શુદ્ધ છે અનિત્ય શુદ્ધ
છે તે તો મિથ્યા દ્રષ્ટિની પાસે છે જ નહીં.
00:32:07.440 --> 00:32:20.096
તો હું છું એવું ના હોઇ શકે. જે છે એની સાથે હું લાગે છે.
હું વિદ્યમાન, વર્તમાન, હું, શુદ્ધ હું અત્યારે.
00:32:20.120 --> 00:32:31.976
કહે અત્યારે તો હું મિથ્યાદ્રષ્ટિ છું.
તું મિથ્યાદ્રષ્ટિ નથી. હું મિથ્યાદ્રષ્ટિ
છું તો મિથ્યાદ્રષ્ટિની પરંપરા ચાલસે.
00:32:32.000 --> 00:32:39.656
મિથ્યાત્વના નાશનો ઉપાય તો એ નથી
હું અશુદ્ધ નથી હું શુદ્ધ છું.
00:32:39.680 --> 00:32:50.856
હું નિરપેક્ષ શુદ્ધ છું.
સંવર નિર્જરા એંડ મોક્ષ સાપેક્ષ શુદ્ધ છે,
અનિત્ય શુદ્ધ છે.
00:32:50.880 --> 00:33:02.216
હું તો નિરપેક્ષ, અનાદિ
અનંત, શાશ્વત શુદ્ધ જ છું.
આહાહા! શુદ્ધ જ છું. આહાહા! શુદ્ધ છું.
00:33:02.240 --> 00:33:08.696
ત્રીજો બોલ - મમતા રહિત છું.
પ્રભુ મમતા તો છે. મારી પાસે મમતા તો છે.
00:33:08.720 --> 00:33:17.496
આ દેહ પ્રતિ મમતા. કુટુંબ પ્રત્યે મમતા.
આ શાસ્ત્રજ્ઞાન ના ઉઘાડ ના અભિમાન પ્રત્યે મમતા.
00:33:17.520 --> 00:33:25.696
કોઈ પ્રમુખ હોં, સેક્રેટરી, સત્તાની મમતા.
સત્તાની મમતા. પૈસાની મમતા.
00:33:25.720 --> 00:33:33.856
અમારા સંબંધી સગાવાલા બહુ અમારો
વ્યવહાર એવો છે - એવી મમતા મમતા
મમતા માં એની કાલ ગુમાવે છે.
00:33:33.880 --> 00:33:39.896
પરંતુ જે પરિણામમાં મમત્વ
ભાવ હોય છે તે તું નથી.
00:33:39.920 --> 00:33:48.496
તારામાં મમત્વ ઉત્પન્ન જ નથી થતું.
તું તો મમત્વથી રહિત છે.
નિર્મમત્વ તારો સ્વભાવ છે.
00:33:48.520 --> 00:33:58.256
મુમુક્ષુ: મમતાના સમયે જ નિર્મમત્વ છે.
ઉત્તર: મમત્વ ની પર્યાયમાં છે એ
સમયે મમતા થી રહિત નિર્મમત્વ છે.
00:33:58.280 --> 00:34:03.216
એનું લક્ષ કરવાથી પરિણામ
નું મમત્વ છૂટી જાય છે.
00:34:03.240 --> 00:34:07.656
અહિયાં (અંદર) અહં આવી જાય છે,
પરથી મમત્વ છૂટી જાય છે.
00:34:07.680 --> 00:34:11.072
અહિયાં (અંદર) અહં આવી જાય છે,
પરથી મમત્વ છૂટી જાય છે.
00:34:12.400 --> 00:34:20.656
એવા શિષ્યના પ્રશ્ન નો ઉત્તર ચાલે છે
કે મમત્વનો નાશ કેવી રીતે થાય?
પરિણામ માં મમત્વ છે.
00:34:20.680 --> 00:34:27.056
મારો મારો મારો દીકરો, મારી દીકરી, આહાહા!
મારા પિતા, મારી મમ્મી આહાહા!
00:34:27.080 --> 00:34:32.096
તારું શું છે, કાંઇ નથી આહાહા! ભ્રાંતિ છે.
00:34:32.120 --> 00:34:39.816
પરિણામ તારા નથી તો
પરપદાર્થ મારા છે એ તો, આહાહા!
00:34:39.840 --> 00:34:50.816
એક સમયના પરિણામ ઉત્પન્ન થાય છે,
એ આત્માનું સ્વ નથી.
00:34:50.840 --> 00:35:02.096
એક ચિદાનંદ ભગવાન આત્મા, જ્ઞાનાનંદ
પરમાત્મા એ સ્વ છે અને હું એનો સ્વામી છું.
પરિણામનો હું સ્વામી નથી.
00:35:02.120 --> 00:35:16.056
મુમુક્ષુ: મિથ્યાદ્રષ્ટિના પરિણામ પણ પર મારુ છે.
એવું નથી? એ પણ મારા છે એવું નથી?
ઉત્તર: નથી, બિલકુલ નથી.
00:35:16.080 --> 00:35:24.416
એ મિથ્યાત્વ ની પૃષ્ટિ થાય છે. મિથ્યાત્વના
પરિણામ મારા છે તો મિથ્યાત્વ જશે નહીં.
00:35:24.440 --> 00:35:30.296
મિથ્યાત્વના પરિણામથી ભિન્ન (જુદું ) નિર્મમત્વ
પરમાત્મા હું છું તો મિથ્યાત્વ જતું રહશે.
00:35:30.320 --> 00:35:35.816
મુમુક્ષુ: એવો દોષ સ્વીકાર કર્યો ત્યારે એનો
નિષેધ કર્યો ત્યારે સ્વાભાવનું લક્ષ કર્યું?
00:35:35.840 --> 00:35:40.400
ઉત્તર: પણ સ્વીકાર કર્યા પછી અટકવાની
વાત નથી. દોષતો સ્વીકાર કર્યો
00:35:40.400 --> 00:35:45.296
પણ દોષનો સ્વીકાર કર્યા
પછી દોષને ટાળવાનો પ્રશ્ન છે.
00:35:45.320 --> 00:35:51.136
રાખવાનો પ્રશ્ન નથી કર્યો. શું કહ્યું?
00:35:51.160 --> 00:35:54.136
ડોક્ટર ની પાસે જાય છે. તાવ છે ચાર ડિગ્રી?
00:35:54.160 --> 00:36:02.776
તો ચાર ડિગ્રી નું જ્ઞાન થયું તો રાખવા
માટે જ્ઞાન થયું કે ટાળવા માટે?
મુમુક્ષુ: ટાળવા માટે
00:36:02.800 --> 00:36:09.216
ઉત્તર: તો જ ડોક્ટરની પાસે જાય ને ભાઈસાહેબ.
તો ટાળવાની વાત છે ને હવે?
00:36:09.240 --> 00:36:18.736
સ્વીકાર કરવાથી તો મમત્વ છૂટતું નથી.
એવું બંધ અધિકારમાં આચાર્ય ભગવાને ફરમાવ્યું છે.
00:36:18.760 --> 00:36:22.296
બંધ અધિકાર છે, બંધ અધિકાર. બંધ અધિકાર.
00:36:22.320 --> 00:36:32.576
તો એમાં આચાર્ય ભગવાને ફરમાવ્યું કે
હું બંધાયેલો છું, હું બંધાયેલો છું, હું બંધાયેલો છું તો
બંધ છૂટવાનો ઉપાય એ નથી.
00:36:32.600 --> 00:36:39.016
એને છીણી મારી દે તો બંધનો અભાવ થઈ જશે.
00:36:39.040 --> 00:36:43.936
હું મિથ્યાદ્રષ્ટિ છું, હું મિથ્યાદ્રષ્ટિ છું,
હું મિથ્યાદ્રષ્ટિ છું,, હું પાપી છું, હું સંસારી છું,
00:36:43.960 --> 00:36:50.696
એવી શૃંખલા વારે વારે વિચારવા
છતાં પણ એ મિથ્યાત્વ છૂટતું નથી.
00:36:50.720 --> 00:36:58.936
મિથ્યાત્વથી જૂદું જ્યારે આત્માનું ધ્યાન જીવ કરે છે
આહાહા! ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ (થઈ જાય છે).
00:36:58.960 --> 00:37:04.936
સમ્યગ્દર્શનનો ઉત્પાદ,
મિથ્યાત્વનો વ્યય અને
ધ્રુવનો સદ્ભાવ આહાહા!
00:37:04.960 --> 00:37:15.816
ધ્રુવનું ધ્યાન કરવાથી, પરમાત્માનું ધ્યાન
કરવાથી, પરમાત્માનું ધ્યાન કરવાનું ક્યાં
જાવું મંદિરે કે સમેદ-શીખર?
00:37:15.840 --> 00:37:24.776
આ નિજ પરમાત્મા અંદર બિરાજમાન છે
એનું ધ્યાન કર.
00:37:24.800 --> 00:37:31.536
આ ઉપદેશ કથન પદ્ધતિમાં એવું આવે છે
કે ધ્યાન કર પણ ધ્યાન સહજ થઈ જાય છે.
00:37:31.560 --> 00:37:39.016
પરંતુ ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધને
સમજાવવા માટે એક સાથે કહેવામાં આવે છે. આહાહા!
00:37:39.040 --> 00:37:53.056
મિથ્યાત્વ છે, મિથ્યાત્વ છે, સ્વીકાર તો શિષ્યે
કરી લીધો. પણ મિથ્યાત્વ નો નાશ કેવી રીતે થાય
એ પ્રશ્નનો ઉત્તર આવ્યો કે મિથ્યાત્વ તારામાં નથી.
00:37:53.080 --> 00:38:02.096
મારામાં છે એવો મેં સ્વીકાર કર્યો અને
હું કહું છું કે તારામાં નથી. તો વાત શું છે?
00:38:02.120 --> 00:38:08.496
તારી દ્રષ્ટિ પર્યાય પર છે તો પર્યાયથી તું
બોલે છે કે મારામાં મિથ્યાત્વ છે.
00:38:08.520 --> 00:38:16.816
(પણ) પર્યાય ને ગૌણ કર, પર્યાયને
રાખીને ચિદાનંદ ભગવાન આત્મા સામાન્યને
જો તો તારામાં મિથ્યાત્વ જ નથી.
00:38:16.840 --> 00:38:24.976
અને મિથ્યાત્વ થી રહિત જે સ્વભાવ ભાવ
છે એનું અવલંબેન કરવાથી પર્યાય
માંથી મિથ્યાત્વ ટળી જાય છે.
00:38:25.000 --> 00:38:39.856
એનો વ્યય અને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ
થઈ જાય છે. આ જૈન દર્શન છે ને? બહુ
લોજિકલ છે. એવો અંધશ્રદ્ધા નો વિષય નથી.
00:38:39.880 --> 00:38:45.296
આગમથી, યુક્તિથી, અનુમાનથી
અને અનુભવથી સિદ્ધ થઈ જાય છે. આહાહા!
00:38:45.320 --> 00:38:58.456
બંધ અધિકારમાં ઘણું લખ્યું આમ હું બંધાયેલો છું,
હું બંધાયેલો છું, મારામાં રાગ છે, મારામાં રાગ છે,
એવો વિચાર કરવાથી બંધ છૂટતો નથી.
00:38:58.480 --> 00:39:05.816
આહાહા! આત્માનો અનુભવ કર તો બંધ છૂટી જાય છે.
00:39:05.840 --> 00:39:13.016
નિશ્ચયથી હું એક છું, આહાહા!
00:39:13.040 --> 00:39:29.776
હું શુદ્ધ છું અને હું મમત્વ રહિત છું .
મમત્વ રહિત થાય છે એ બીજું તત્વ છે
અને મમત્વ રહિત છું એ બીજું તત્વ છે.
00:39:29.800 --> 00:39:37.776
મમત્વ રહિત છે એ જીવ તત્વ છે,
મમત્વ થી રહિત થાય છે એ સંવર તત્વ છે.
00:39:37.800 --> 00:39:51.136
સંવર નવો પ્રગટ થાય છે અને જીવ તો જૂનો છે
જૂનો. એ તો મમત્વથી રહિત ત્રિકાળ છે,
એમાં એ મમત્વની પર્યાય પ્રગટ હોતી નથી.
00:39:51.160 --> 00:40:08.616
પર્યાય અપવિત્ર હોવા છતાં પણ
આત્મા પવિત્ર રહી ગયો છે.
00:40:08.640 --> 00:40:19.096
પાણી મેલુ થઈ ગયું અપવિત્ર તો પણ
પાણી પોતાનો સ્વભાવ છોડતો
નથી. એ તો નિર્મળ રહે છે.
00:40:19.120 --> 00:40:28.616
આહાહા! એનો એક અંશ પણ ૧૦૦% નિર્મળ છે સ્વભાવ.
સામાન્ય સ્વભાવ ૧૦૦% સો એ સો ટકા નિર્મળ છે.
00:40:28.640 --> 00:40:38.616
એવા સામાન્ય સ્વભાવની વાત બતાવે છે,
જ્યારે જ્ઞાનીનો જન્મ થાય છે ત્યારે
સામાન્યનું પડખું બહાર આવે છે.
00:40:38.640 --> 00:40:45.576
મુમુક્ષુ: બરાબર. પરમ સત્ય!
ઉત્તર: ત્યાં સુધી બધા વિશેષને જ આત્મા
માને છે, અનાત્મા ને જ આત્મા માને છે.
00:40:45.600 --> 00:40:50.376
આત્મા એક છે એના બે પડખા છે,
એક સામાન્ય અને એક વિશેષ.
00:40:50.400 --> 00:40:55.896
વિશેષમાં અશુદ્ધિ છે ત્યારે
સામાન્ય શુદ્ધ અને પરિપૂર્ણ રહે છે.
00:40:55.920 --> 00:41:03.616
વિશેષમાં મતિશ્રુત જ્ઞાન હોવા છતાં પણ
ભગવાન આત્મા તો જ્ઞાન થી દર્શન થી
પરિપૂર્ણ રહે છે.
00:41:03.640 --> 00:41:13.936
એવું આવે છે જ્ઞાનથી દર્શનથી પરિપૂર્ણ છું
એવું આવશે. મમતા રહિત છું અને
દર્શનજ્ઞાનથી પૂર્ણ છું .
00:41:13.960 --> 00:41:19.696
અત્યારે તો મતિશ્રુત જ્ઞાન છે
કેવળજ્ઞાન પણ નથી થયું.
00:41:19.720 --> 00:41:32.376
તો પૂર્ણ દર્શન જ્ઞાનથી અત્યારે કેવી રીતે પૂર્ણ છું?
કે તારી નજર પર્યાય પર છે
અને મારી નજર દ્રવ્ય પર છે.
00:41:32.400 --> 00:41:40.576
તું પર્યાય ને આત્મા માને છે
અને હું દ્રવ્યને આત્મા માનું છું
અમારી અને તારી વચ્ચે આટલો મોટો ફર્ક છે.
00:41:40.600 --> 00:41:48.336
પદાર્થના પ્રતિભાસ માં તફાવત છે
જ્ઞાની અને અજ્ઞાની નો પદાર્થના
પ્રતિભાસમાં (ફર્ક છે).
00:41:48.360 --> 00:41:58.096
એક પર્યાયને આત્મા માને છે અને એક દ્રવ્ય
ને આત્મા માનતા માનતા પર્યાયને જાણે છે.
પણ પર્યાયને આત્મા માનતો ( નથી).
00:41:58.120 --> 00:42:03.576
શું કહ્યું?
મુમુક્ષુ: સાચી વાત કહી એક પર્યાયને
જાણે છે દ્રવ્યને માનતા માનતા.
00:42:03.600 --> 00:42:08.576
ઉત્તર: એક પર્યાયને જાણીને પર્યાયને
આત્મા માની લ્યે છે, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે.
00:42:08.600 --> 00:42:18.856
બીજો સમ્યગદ્રષ્ટિ દ્રવ્યને આત્મા માનીને
પર્યાયને જાણે છે પણ પર્યાય મારીછે
એમ માનતો નથી. આહાહા!
00:42:18.880 --> 00:42:22.976
મુમુક્ષુ:નિર્દોષ વાત છે આ.
ઉત્તર: નિર્દોષ વાત છે આ.
00:42:23.000 --> 00:42:32.816
દિગંબર સંતોએ તો ન્યાલ કરી દીધા છે.
આ તમારું જ શાસ્ત્ર છે. હું તો નવો દિગંબર છું.
00:42:32.840 --> 00:42:47.336
મુમુક્ષુ: મૂળ દિગંબર કહ્યું. સાહેબ!
ઉત્તર: પ્રભુ એ તો જે અનુભવ કરે એ દિગંબર છે.
આત્માનો અનુભવ કરે એનું નામ ભાવ દિગંબર છે.
00:42:47.360 --> 00:42:58.856
ભાવ દિગંબર. નામ દિગંબર છે. નામથી તો જૈન છે
નામથી તો જૈન છે પણ ભાવ થી જૈન હોવું એ કોઈ અપૂર્વ વાત છે.
00:42:58.880 --> 00:43:14.216
આત્માનો અનુભવ કરવાની આ વાત છે ભાઈ. નામ
થી તો સૌ દિગંબર જૈન છે. બધા દિગંબર જૈન છે
પણ ભાવ થી દિગંબર હોવું એ કોઈ અપૂર્વ ચીજ છે.
00:43:14.240 --> 00:43:21.696
વિરલા જાણે તત્વને વિરલા સાંભળે કોઈ
વિરલા ધ્યાવે કોઈ - એ વિરલા જ હોય છે
00:43:21.720 --> 00:43:33.456
દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ .
પ્રભુ હું તો મતિ-શ્રુત જ્ઞાન મારી પાસે છે ને?
કેવળજ્ઞાન તો નથી? કેવળજ્ઞાન પૂર્ણ હોય છે.
00:43:33.480 --> 00:43:48.816
અરે ભાઈ! કેવળજ્ઞાનની વાત નથી. અમે તો
આત્મા કેવળજ્ઞાનથી પણ ભિન્ન છે એવો સ્વભાવ તમને
બતાવે છે. કેવળજ્ઞાનતો નવું ઉત્પન્ન થાય છે.
00:43:48.840 --> 00:43:57.416
જે ઉત્પન્ન છે તે હું નહીં.
પ્રગટ થાય છે તે હું નથી
જે પ્રગટ છે તે હું છું. આહાહા!
00:43:57.440 --> 00:44:17.216
અત્યારે સમય? ૯:૩૦ ભલે.
પા કલાક છે ઘણી અપૂર્વ વાત છે.
00:44:17.240 --> 00:44:26.976
આચાર્ય ભગવાન ફરમાવે છે શરૂઆતમાં
સમયસાર માં કે આજ સુધી તે બહુ
કામ-ભોગ-બંધનની કથા સાંભળી
00:44:27.000 --> 00:44:40.296
અને પરિચય પણ કર્યો પણ એકત્વ - વિભક્ત
આત્માની વાત આજ સુધી તેં સાંભળી નથી,
એવી વાત કહેવાનો (સંભાળવવાનો) મને ભાવ આવ્યો છે.
00:44:40.320 --> 00:44:50.702
શ્રોતા - પ્રશ્ન વચમાં નહીં ઉત્તર: ચાલું
માં મજા નથી આવતી. રાત્રે પ્રશ્ન જરુર કરજો.
00:44:50.726 --> 00:44:59.816
કાગળમાં લખીને દઈ દેજો ભાઈ જરૂર
લખીને આપજો, એક નહીં સૌ પ્રશ્ન કરજો.
00:44:59.840 --> 00:45:10.696
એક નહીં સૌ પ્રશ્ન કરજો. અમારી જેટલી શક્તિ
છે તે શક્તિથી અમે ખુલાસો કરીશું.
આહાહા! ચાલુ માં ગડબડ થાય છે.
00:45:10.720 --> 00:45:16.496
પ્રભુ! હું એકત્વ વિભક્ત આત્માની વાત
કરવાનો આશય મારો છે, અભિપ્રાય છે.
00:45:16.520 --> 00:45:28.256
એકત્વ વિભક્ત નો અર્થ શું છે?
કે અનંત દર્શન જ્ઞાન આનંદ થી હું પરિપૂર્ણ
એકત્વ એનાથી એકત્વ, અનંત ગુણ થી એકત્વ-એકપણું.
00:45:28.280 --> 00:45:35.216
એકત્વ-એકપણું, એકપણું છે આત્મા.
આત્મા માં જ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ-વીર્ય છે.
00:45:35.240 --> 00:45:40.156
અનંત અનંત વિભુત્વ શક્તિ, પ્રભુત્વ શક્તિ,
અનંત અનંત શક્તિ, એક એક શક્તિ પરિપૂર્ણ છે.
00:45:40.180 --> 00:45:51.376
એક એક શક્તિ પરિપૂર્ણ છે. નિરપેક્ષ છે,
કર્મની સાથે એનો સંબંધ નથી.
અને નિમિત-નૈમિતિક સંબંધ થી જુદો આત્મા છે.
00:45:51.400 --> 00:45:58.096
નિમિત-નૈમિતિક સંબંધ હોય છે - અનાત્મા
માં હોય છે. મારામાં નથી. આહાહા!
00:45:58.120 --> 00:46:03.736
હું તો ત્રિકાળ ભગવાન પરમાત્મા
વર્તમાન હું. આહાહા!
00:46:03.760 --> 00:46:14.856
એમ જ્ઞાન દર્શનથી હું પરિપૂર્ણ હું.
તો એકત્વ એટલે અનંતગુણ થી
એકપણું અનંતગુણથી એકપણું.
00:46:14.880 --> 00:46:25.296
ગુણ તો અનંત છે અને એક ગુણ બીજા
ગુણરૂપ નથી. એવો અતદભાવ અંદર છે.
હોવા છતાં પણ એ એકપણે રહે છે. આહાહા!
00:46:25.320 --> 00:46:33.976
એક પાડખું એકત્વનું તો આ, અને વિભક્ત હું.
કેવળજ્ઞાનથી હું ભિન્ન છું.
00:46:34.000 --> 00:46:40.856
કોણે કહ્યું?
કુંદકુંદ આચાર્ય ભગવાને લખ્યું.
પ્રમત -અપ્રમત થી હું રહિત છું.
00:46:40.880 --> 00:46:50.216
પ્રમત એટલે ૧ ગુણસ્થાન થી ૬ ગુણસ્થાન
સુધી તો પ્રમત દશા કહેવાય છે.
અને ૭ થી ૧૪ ગુણસ્થાન સુધી અપ્રમત.
00:46:50.240 --> 00:46:57.816
અપ્રમત માં યથાખ્યાત ચારિત્ર આવી ગયું અને
કેવળજ્ઞાન પણ (આવી ગયું). એનો અર્થ પર્યાય
નથી એમ નથી એમ નહીં. પર્યાય તો છે.
00:46:57.840 --> 00:47:06.896
પર્યાયની અસ્તિ પણ મારામાં નાસ્તિ,
એવી મારી અસ્તિ એનો જે અનુભવ
એનું નામ મસ્તી.
00:47:06.920 --> 00:47:23.176
એકત્વ વિભક્ત આત્માની વાત હું કહીશ.
પછી એમ કહ્યું કે હું કહીશ
પણ અનુભવથી પ્રમાણ કરજો
00:47:23.200 --> 00:47:28.096
ફક્ત સાંભળવાથી પ્રમાણ નથી થતું.
00:47:28.120 --> 00:47:40.336
કોઈ પહેલાના કાળમાં જેમ સાકર છે ને
સાકર, ખાંડ નહીં. સાકર બહુ મોંઘી હતી.
00:47:40.360 --> 00:47:52.616
મુમુક્ષુ: બુરા
ઊતર: બુરા નહીં ઘન. મીઠાંસનું ઘન હોય તો ખૂબ
મોંઘી હતી. ૩૦-૪૦-૫૦ રૂપીએ કિલો એ સમયે. સમજ્યા?
00:47:52.640 --> 00:48:04.216
ત્યારે ઠગલોકો પણ નિકળે છે. ઠગલોકો
કમાવા માટે નીકળતાં હોય તો સાકરની સાથે
ફટકડી રાખે ફટકડી સમજો છો ને?
00:48:04.240 --> 00:48:16.216
ફટકડી. સફેદ હોય છે ને? આ પણ સફેદ
અને પેલું પણ સફેદ. તો બહેન, બૈરાં લોક
લેડિસ થોડા લોભી પણ હોય છે.
00:48:16.240 --> 00:48:25.176
એક સાકરવાળા, સાચ્ચા સાકરવાળાએ ૬૦ રૂપીયાના
ભાવે આપી. આણે (ઠગે ) કહ્યું ૩૦ રૂપિયા માં આપીશ.
સારું, ૨ કિલો આપી દયો. આહાહા!
00:48:25.200 --> 00:48:31.896
તો ૨ કિલો લઈ લીધી
એની પરીક્ષા કરી નહીં.
પરીક્ષા કરી ને પ્રમાણ ન કર્યું.
00:48:31.920 --> 00:48:43.296
સમજ્યા? સફેદ આ પણ સફેદ એ પણ સફેદ. આહા.
અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ દોષ વગરનું એ લક્ષણ છે.
એ તો જુદી વાત છે. એ તો જુદી વાત છે.
00:48:43.320 --> 00:48:57.416
તો એ સફેદ જોઈને લઈ ગઈ. શું થયું? તો એ
છોકરી નો સસરો આવ્યો સસરા તેજ મગજ વાળા,
ખૂબ તેજ મગજ વાળા હોય છે ને? ક્રોધી કોઈ?
00:48:57.440 --> 00:49:12.056
આવ્યા તો એમને માટે દૂધ બનાવ્યું, ચા બનાવી
એને માટે ખાંડ નાંખી. એમણે આ પીધી
શું છે? કપ ને ફેંકી દિધો. આહાહા! સમજ્યા?
00:49:12.080 --> 00:49:23.056
આવા ધર્મ ના નામ ઉપર જીવ ઠગાયો. (ધૂતાણો). ધર્મ નું
સાચું સ્વરૂપ શું છે એ તે જાણતો નથી.
00:49:23.080 --> 00:49:31.496
અજ્ઞાની આવું કરો તો ધર્મ એવું કરો તો ધર્મ,
ધર્મ નથી થતો કર્મ થઈ જાય છે.
00:49:31.520 --> 00:49:42.136
ધર્મ ના નામ થી કર્મ થઈ જાય છે.
ધર્મ થઈ જાય તો તો ન્યાલ થઈ જાય.
ધર્મ એટલે આત્મા નો અનુભવ.
00:49:42.160 --> 00:49:50.616
અનુભવ રત્ન ચીંતામણી, અનુભવ છે રસ કૂપ,
અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ.
00:49:50.640 --> 00:49:57.576
સર્વજ્ઞ ભગવાનના આગમ માં
અનુભૂતિ નું ફરમાન છે.
આત્માનો અનુભવ કરો.
00:49:57.600 --> 00:50:01.576
જ્ઞાનાનુભૂતિ, આનંદાનુભૂતિ એનું નામ ધર્મ છે.
00:50:01.600 --> 00:50:10.736
તો આચાર્ય ભગવાન ફરમાવે છે કે સાંભળ
ભાઈ તારો પ્રશ્ન છે કે દશા માં દૂ:ખ છે,
00:50:10.760 --> 00:50:21.736
પણ દશા માં હોવા છતાં પણ પર્યાય માં
દૂ:ખ હોવા છતાં પણ હવે તું થાકી ગયો છે
તો પ્રશ્ન છે કે દૂ:ખનો અભાવ કેવી રીતે થાય?
00:50:21.760 --> 00:50:26.096
દૂ:ખનાં સ્થાન પર સુખ પ્રગટ કેમ થાય એ તારો પ્રશ્ન છે
00:50:26.120 --> 00:50:39.656
તો સાંભળ, તો તે સ્વભાવમાં રહેતો, તેમ લીન
થતો હું આ ક્રોધાદિક સર્વ આશ્રવોને
ક્ષય પમાડું છું આહાહા!
00:50:39.680 --> 00:50:45.096
એ મૂળ ગાથા થઈ
હવે ટીકા. ટીકા એટલે અર્થનો વિસ્તાર.
00:50:45.120 --> 00:50:54.336
અમૃતચંદ્ર આચાર્ય ભગવાન થઈ ગયા.
એક હજાર વર્ષ પૂર્વ. પાછળથી નિત્ય
આનંદનું ભોજન કરવાવાળા.
00:50:54.360 --> 00:51:02.216
મુનિરાજ ના લક્ષણ શું છે?
નિત્ય અતીન્દ્રિય આનંદનું ભોજન કરે છે.
આહાહા!
00:51:02.240 --> 00:51:10.856
ક્ષણમાં નિર્વિકલ્પ અને ક્ષણમાં સવિકલ્પ
દશા આવી જાય છે. હાલતા ચાલતા સિદ્ધ છે.
00:51:10.880 --> 00:51:20.696
મુનિરાજની વાત કોઈ અલૌકિક હોય છે.
તો એમણે આ ટીકા બનાવી એક હજાર વર્ષ પછી.
00:51:20.720 --> 00:51:31.656
ટીકા એટલે વિસ્તાર. સંસ્કૃતમાં લખાઈ તે
આજથી ૨૦૦ વર્ષ પહેલાં એવો બનાવ બન્યો
જયપુર માં જયચંદ પંડિત છાબડા.
00:51:31.680 --> 00:51:41.456
જયચંદજી છાબડા. પંડિત ટોડલમલજી ની
સાથે મિત્રતા માં બધા આઠ દસ પંડિત સાથે એ
સમયે ઘણી સારી ચર્ચા ચાલતી હતી.
00:51:41.480 --> 00:51:51.496
તો એ સમયસાર તો સંસ્કૃતમાં હતું
એનો ઢૂઢાંરી, હિન્દીમાં અનુવાદ ન હતો.
ફક્ત સંસ્કૃતમાં વાત ચાલતી હતી.
00:51:51.520 --> 00:51:58.096
તો જયચંદ પંડીતને વિચાર આવ્યો
કે આનો અનુવાદ કરવો જોઈએ.
00:51:58.120 --> 00:52:02.816
તો સામાન્ય જન સમુદાય આનો મર્મ
સમજી શકે કે આત્માનું સ્વરૂપ શું છે.
00:52:02.840 --> 00:52:13.296
કેમકે આમાં તો આત્માના સ્વરૂપની વાત છે.
તો બીજા પંડીતે કહ્યું કે વાત તો એવી
છે કે આ તો એકલા નિશ્ચયનો ગ્રંથ છે.
00:52:13.320 --> 00:52:22.336
નિશ્ચયનો ગ્રંથ વાંચવાથી જીવ સ્વછંદી થઈ
જશે. આમ તેમ ચર્ચા તો થાય છે ને?
00:52:22.360 --> 00:52:33.576
ચર્ચા થઈ તો પંડિતજી એ કહ્યું કે સાકર ખાવાથી
ગધેડો તો મરી જાય છે. એવી કહેવત છે.
તો શું મનુષ્યએ સાકર નહીં ખાવી?
00:52:33.600 --> 00:52:44.176
ઘણી સારી વાત છે આ વાત તો વિચારવા જેવી છે.
તો બધાએ નક્કી કર્યું કે અનુવાદ
કરવો જોઈએ, તો અનુવાદ કોણ કરે?
00:52:44.200 --> 00:52:51.816
આ વાત આવી તો બધા એ કહ્યું આ પંડિત
જયચંદજી છાબડા છે, બરાબર.
પછીથી બધું જોઈ લઈશું.
00:52:51.840 --> 00:53:04.336
એ અનુવાદ કરે, પછી બધા જોઈ લે કે કોઈ
ફેરફાર હોય તો, તો અનુવાદ થઈ ગયો. અનુવાદ
થયો ઢૂઢાંરીમાં પહેલાં. ઢૂઢાંરીમાં આવા પાના હતા.
00:53:04.360 --> 00:53:17.896
ઢૂઢાંરી પછી, એક શ્રીમદ રાજચંદ્ર
થઈ ગયા સૌરાસ્ટ્ર માં, મોરબી ની પાસે
વવાણિયા ત્યાં એમનો જન્મ હતો.
00:53:17.920 --> 00:53:21.736
તેઓ શતાવધાની હતા. શતાવધાન કરતા હતા.
00:53:21.760 --> 00:53:31.856
એમણે વિચર કર્યો કે આ સમયસાર,
પરમાત્મપ્રકાશ આદિ નો આ ચાલતી
હિન્દી ભાષામાં અનુવાદ કરવો ઠીક રહેશે.
00:53:31.880 --> 00:53:45.336
તો એમણે પરમ શ્રુત પ્રભાવક મંડળ ની સ્થાપના
કરી તો ત્યાંથી આ ઢૂઢાંરી પરથી સમયસાર નું
ચાલતી હિન્દી ભાષામાં અનુવાદ કરીને છપાઈ ગયા.
00:53:45.360 --> 00:53:59.936
તો ૭૫ ની સાલમાં એ છપાયા અને ૭૮ ની સાલમાં
પૂજ્ય ગુરુદેવના હાથમાં આ શાસ્ત્ર આવ્યું.
તેઓ મોપતિ (મુખ પટ્ટી) માં હતા. સ્થાનકવાસી સાધુ. આહાહા!
00:53:59.960 --> 00:54:06.896
હાથમાં આવ્યું સમયસાર શાસ્ત્ર.
ઝવેરીએ પરીક્ષા કરી લીધી.
00:54:06.920 --> 00:54:21.336
આ સમયસાર શાસ્ત્ર તો અશરીરી થવાનું છે,
નિમિત. આહાહા! એમણે અંદરથી ખૂબ
ગહેરાઈથી (ઊંડાઈથી) મનન કર્યું.
00:54:21.360 --> 00:54:32.376
તેઓ શું કર્તા હતા? ઉપવાસ કરીને નદી
ની પાસે શાસ્ત્ર લઈને બહાર જતાં રહેતા.
અને ત્યાં એકાંતમાં આખો દિવસ સ્વાધ્યાય કરતા હતા.
00:54:32.400 --> 00:54:47.096
અને ઉપાશ્રય માં સ્વાધ્યાય કરે અને કોઈ પગે
લાગવા, નમસ્કાર કરવા આવે તો કોઈની સામે
જુવે નહીં. આહાહા! એવી ધૂન ચઢી ગઈ. આહાહા!
00:54:47.120 --> 00:54:57.496
આ સમયસાર શાસ્ત્રથી આ ભાવનો અંત આવી ગયો
એવા સમયસાર શાસ્ત્રની તો કોઈ આલોકિક નિધિ છે. આહાહા!
00:54:57.520 --> 00:55:09.936
એક વાર એવું થયું કે બે મિત્ર હતા બે,
બંને મિત્ર એકદમ ગરીબ બંને મિત્ર
સાધારણ ઝુંપડા માં રહેતા હતા. ખાવાનું પણ નહીં.
00:55:09.960 --> 00:55:13.736
એકને એવું થયું કે હું સાધુ થઈ જાઉ અન્યમતીનો.
00:55:13.760 --> 00:55:23.496
તો સાધુ થઈ ગયો અન્યમતીનો તો
એના ગુરુની સાથે તપ કરવા લાગ્યો
પછી એને કોઈ એવી લબ્ધિ પ્રગટ થઈ ગઈ.
00:55:23.520 --> 00:55:35.456
અજ્ઞાની ને પણ લબ્ધિ પ્રગટ થાય છે.
તો એની લબ્ધિ માં શું આવ્યું?
કે જે લોખંડને સોનું બનાવી દે.
00:55:35.480 --> 00:55:38.776
એ મંત્ર ભણીને પાણી છાંટે
તો લોઢું સોનું થઈ જાય.
00:55:38.800 --> 00:55:44.856
તો એને વિચર આવ્યો કે મારો મિત્ર ગરીબ
છે તો ત્યાં જઈને પુસ્તક લખીને આપું.
00:55:44.880 --> 00:55:52.896
તો ત્યાં જઈને કહ્યુંકે આ પુસ્તક વાંચીને
એનો પ્રયોગ કરીને સોનું બનાવી લેજો.
00:55:52.920 --> 00:55:57.096
અને હું બીજી વાર આવું ત્યારે
મોટર અને બંગલા તારી પાસે હશે.
00:55:57.120 --> 00:56:10.456
તો કહે જરૂર સોનું બને તો ગરીબ ક્યાંથી રહે?
પુસ્તક લઈ લીધું અને બરાબર સંભાળીને તિજોરીમાં
રાખી દીધું. ચાવી બરાબર પોતાની પાસે રાખી.
00:56:10.480 --> 00:56:18.096
એક વર્ષ બાદ એ આવ્યો દૂરથી જોયું તો એ જ ઝુંપડી.
અંદર ગયો કે મારો મંત્ર ખોટો છે કે શું?
00:56:18.120 --> 00:56:26.856
આવ્યો કે બૂકનો પ્રયોગ કર્યો. નહીં
બૂક તો મે ઘણી સંભાળીને રાખી છે.
બરાબર તાળા ચાવી મારીને તિજોરીમાં રાખી છે.
00:56:26.880 --> 00:56:37.816
એમ સમયસાર તો સૌના ઘરમાં છે
પણ ભગવાન બનવાની વિધિ છે તો
ખોલીને વાંચે પણ નહીં.
00:56:37.840 --> 00:56:41.936
વાંચે તો ઉપર ઉપરથી શિષ્ટાચાર થી વાંચે છે.
00:56:41.960 --> 00:56:52.216
એક પાનું વાંચ્યું, થઈ ગયું. મંદિરમાં
ગયો, ભગવાનના દર્શન કરી લીધું. એમ લખ્યું છે.
એમ નહીં! આમાં ભેદજ્ઞાનનો મંત્ર છે.
00:56:52.240 --> 00:57:06.296
ણમોકાર મંત્ર તો અમને માતા-પિતા
પાસેથી મળ્યો જન્મથી, ણમોકાર તો.
પણ ભેદજ્ઞાનનો મંત્ર ગુરુદેવે આપ્યો.
00:57:06.320 --> 00:57:17.416
જયપુર ની શિબિર ના સમયે મે કહ્યું કે આ
ભેદજ્ઞાનના મંત્રથી દેવ હાજર થાય છે.
તો બધા ખુશ થયા કે પંડિતજી સારું.
00:57:17.440 --> 00:57:23.096
પ્રાઇવેટ માં પૂછી લે કે એ મંત્ર કયો
છે કે દેવ હાજર થાય ને દેવની પાસે
માંગી લઈએ. એવી ચર્ચા થવા માંડી.
00:57:23.120 --> 00:57:30.016
એવી ચર્ચા થવા માંડી.
બીજે દિવસે મારા કાનમાં આ વાત આવી કે
આપની વાત તો આવી ચાલે છે.
00:57:30.040 --> 00:57:36.016
બીજે દિવસે કહ્યું કે ભાઈ આ દેવ ની વાત
નથી. ચૈતન્ય દેવ પ્રગટ થાય છે.
00:57:36.040 --> 00:57:46.096
ચૈતન્ય દેવ ની વાત છે એ દેવની વાત નથી.
આહાહા! એવી વાત, સમયસાર જી શાસ્ત્ર તો
ભગવતી શાસ્ત્ર છે. આહાહા!
00:57:46.120 --> 00:57:52.256
મુમુક્ષુ: બે મિત્રની વાત જરા અધૂરી
રહી ગઈ હજી પૂરી નથી થઈ.
ઉત્તર: નહીં પૂરી થઈ ગઈ.
00:57:52.280 --> 00:58:04.816
કહયુને કે તાળું ચાવીમાં એમ સમયસાર ને તાળા
ચાવીમાં બધાએ રાખી દીધું છે. એક વાર હું જમવા
ગયો સમયસાર માંગ્યું તો સમયસાર તો હતું તેમની પાસે.
00:58:04.840 --> 00:58:12.416
સમજ્યા? લાવીને આપ્યું પાનાં બધા પેક હતા તો
મેં પૂછ્યું કે આપ સ્વાધ્યાય નથી કરતાં ?
00:58:12.440 --> 00:58:16.176
માફ કરો હું સ્વાધ્યાય નથી
કરતો મેં સંભાળીને રાખ્યું છે.
00:58:16.200 --> 00:58:25.416
જિનવાણીને વંદન કરું છું રોજ,
નમસ્કાર કરું છું. આહાહા!
નમસ્કાર મંત્રથી કલ્યાણ નથી થતું.
00:58:25.440 --> 00:58:31.536
નમસ્કારથી શુભભાવ થાય છે
અને શુભભાવનું ફળ દૂ:ખી થવાનું છે. આહાહા!
00:58:31.560 --> 00:58:45.856
અશુભનું ફળ પણ દૂ:ખ અને શુભનું
ફળ પણ દૂ:ખ. અને ધર્મનું ફળ સુખ છે.
ધર્મ કરવો એ અપૂર્વ ચીજ છે. થઈ ગયો સમય (ટાઇમ).
00:58:45.880 --> 00:58:53.624
આ પ્રવચન, પર્યુષણ માટે જલ્દી સબટાયટલ કર્યું છે.
કૃપા કરીને ભૂલો જણાવો WhatsApp
+91 96648 57990 અથવા rajesh@AtmaDharma.com